________________
કવિ સહજસુંદરકૃત “ગુણરત્નાકરછંદ'
કાન્તિલાલ બી. શાહ જૈન સાધુકવિ સહજસુંદર ઉપકેશગછના સિદ્ધિસૂરિ ધનસારની પરંપરામાં રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય. એમણે રચેલી નાની-મોટી કૃતિઓની સંખ્યા ૨૫ જેટલી થવા જાય છે. એ કૃતિઓમાંની કેટલીકમાં મળતાં રચના વર્ષને આધારે કવિ સહજસુંદરને જીવનકાળ ૧૬મી સદીનો પૂર્વાધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. એમની રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, સ્તવન. સજ્ઝાય વગેરે પદ્યસ્વરૂપને સમાવેશ થાય છે. ઋષિદરા મહાસતી રાસ, જબૂસ્વામી અંતરંગ રાસ, આત્મરાજ રાસ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ, તેતલી મંત્રીને રાસ. અમરકુમાર રાસ, ઈરિયાવહી વિચાર રાસ, પરદેશી રાજાને રાસ, યૂલિભદ્ર રાસ, શુકરાજસિડાસાહેલી રાસ, ગુણરત્નાકરદ, સરસ્વતી માતાને છંદ, રત્નકુમાર/રત્નસાર ચોપાઈ, આંખકાન સંવાદ, યૌવન જરા સંવાદ, તે ઉપરાંત કેટલીક સ્તવને-સજ્ઝા જેવી કૃતિઓ સહજસુંદરે રચી છે. પણ આ સૌમાં એમની ઉત્તમ રચના કદાચ “ગુણરત્નાકરછંદ જ છે. આ કૃતિ ઈ. સ. ૧૫૧૬ (સંવત ૧૫૭૨)માં રચાયેલી છે. એટલે કહી શકાય કે આ કવિને જમે લગભગ ૫૦૦ વર્ષ પૂરાં થયાં છે.
છેક હમણું સુધી આ કવિની કેવળ ત્રણ નાની રચનાઓ જ મુદ્રિત થઈ હતી. પણ તાજેતરમાં શ્રીમતી નિરંજના વોરાએ આ કવિની લગભગ ચૌક કૃતિઓ સંપાદિત કરીને પ્રગટ કરી છે. પણ એમની ઉત્તમ રચના ગુણરત્નાકરછંદ' તે, એની અસંખ્ય હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં, હજી અપ્રકટ જ રહી છે.
ગુણરત્નાકરછંદ' કૃતિને મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા સ્થૂલિભદ્ર-શાના સ્થાનકને છે. આખી રચના કુલ ૪ અધિકારોમાં વહેચાયેલી છે અને કુલ ૪૧૯ કડી ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org