________________
૧}}
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ
કે દર્શન સાથેના સહઅસ્તિત્વનું સૂચન કરે છે. માથી જ મુનિ સંતબાલજીએ કહ્યું, માનવસમાજને અહિંસક સસ્કૃતિની અને સહ. અસ્તિત્વની ભેટ આપનાર જૈનધમ છે.' આજના યુગને અને આવતી કાલના વિશ્વને આવી ભાવનાઓની વિશેષ જરૂર છે. જોનાથન સ્વિફ્ટે એક સ્થળે લખ્યું છે—We have just enough religion to make us hate, but not enough to make us love one another.' આ ભાવનાઓનાં અંજન આખમાં આંજીને જ આપણે ધમ ઝનૂન, ધર્મો ધતાને આંખીને ‘Religious fellowship' સુધી પહેાંચી શકીએ. આજે જગતમાં આતંકવાદ અનેકવિધ સ્વરૂપે ફેલાયેલા છે ત્યારે આ અહિંસા દ્વારા માનવજાતને ઉગારી શકાય. આ અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાં અને અપરિમહ ફરે છે. એના મૂળ પાયા મહાવીરે અપરિગ્રહમાં દર્શાયે છે તે ભૂલવુ' ન જોઈએ.
અહિંસાના આચારની દૃષ્ટિમાંથી જૈનધર્માંની આહાર સબધી ઊડી વિચારણા પ્રગટે છે. આહારના સબધ મન સાથે છે. જેવુ અન્ન તેવું મન; એથી જ આહાર અંગેનો જાગૃતિ રાખવાનું કહ્યું. છે. એણે ઉપવાસ અને મિતાહારના મહિમા કહ્યો છે. આજે ઉપવાસનુ મહત્ત્વ સ્વાસ્થ્ય અને આરાગ્યના ક્ષેત્રમાં એટલુ જ સ્વીકારાયું છે. નિસર્ગીપચાર એના પહેલા પગથિયા તરીકે ઉપવાસનુ` મહત્ત્વ દર્શાવે છે. આયુવેંદના ગ્રંથેામાં પણ એની એટલી જ મહત્તા દર્શાવવામાં આવી છે. જૈન સમાજમાં લાંબા સમયના ઉપવાસ પ્રચલિત છે. પશ્ચિમના દેશોમાં પણુ ૯૦-૯૦ દિવસના ઉપવાસ કરાવીને આને ગમુક્ત કરાયાના દાખલા નાંધાયા છે. ડૅ. કેરિંગ્ટન કહે છે, ‘ઉપવાસો હૃદયને ખૂબ જ શક્તિ મળે છે, હ્રદયને મજપુત અને સશક્ત બનાવવા માટે ઉપવાસ સૌથી સારી માગ છે. કારણુ કે એનાથી એક બાજુ હૃદયને વધુ આરામ મળે છે અને ઝેરી દવા વગર લા વધુ શુદ્ધ થાય છે.'
આ
તેા થઈ ઉપવાસનો શારીરિક અસર; પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org