________________
પાંચ સમવાય કારણ અને ચાર માધના કારણે
૯૭
ચોથો આરો અથવા મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદા મોક્ષપ્રાપ્તિને અનુકૂળ કાળ છે. આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગૌત્ર, સંક્ષિપંચેન્દ્રિય મનુષ્યભવ તથા વજીષભનારા સંઘયણ એ મોક્ષપ્રાપ્તિ માટે અપેક્ષિત છે અને તેથી જ તે સર્વેને અપેક્ષા કારણમાં ગણવેલ છે.
આવા પ્રકારને મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ મનુષ્યભવ મળ એ જૈન દર્શનમાં જણાવેલ દશ દષ્ટાંતે દુર્લભ અર્થાત અત્યંત દુર્લભ છે. મહાપુદયે કરીને એની જીવને પ્રાપ્તિ થાય છે.
(૨) નિમિત્તકારણ : નિમિત્તકારને વ્યાપાર હોય છે અને તેને બહારથી મેળવવાં પડે છે. ત્યાં તો તથા પ્રકારને વેગ હોય તો યોગાનુયોગ એવાં નિમિત્ત આવી મળે છે. નિમિત્તકારણમાં આત્માનું કર્તાપણું છે. વળી નિમિત્ત બે પ્રકારનાં છે. એક તે જડ નિમિત્ત એટલે કે ચરવળ -એદ્યો-મુહપત્તી, કટાસણું, આસન, મંદિર, ગ્રંથ આદિ ઉપકરણે જે કરણનિમિત્ત કહેવાય છે. બીજા ચેતન નિમિત્ત છે, જે દેવ-ગુરુ-સાધમિક આદિ છે. જેને કર્તા નિમિત્ત કહેવાય છે અને તે આપણાથી ભિન્નક્ષેત્રે હોય છે.
(૩) અસાધારણ કારણ કે અપેક્ષા અને નિમિત્ત કારણને પ્રાપ્ત કરી, અંત:કરણની, મોક્ષ પ્રાપ્તિને યોગ્ય તથા પ્રકારની શુદ્ધિ થવી, તે મોક્ષપ્રાપ્તિ અંગેનું અસાધારણ કારણ કહેવાય.
ટૂંકમાં બહારનાં મંદિર-મૂતિ, આગમગ્રંથ ધર્મ તથા દેવ અને ગુરુના નિમિત્ત કારણને પ્રાપ્ત કરીને અત્યંતરમાં ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયેનું ઉપશમન થવું અને રાગ-દ્વેષ રહિત થતાં જઈ નિસ્પૃહી બનવું તેને અસાધારણ કારણ કહે છે. '
કાર્ય એક તત્ત્વ છે. જેનું અનંતરકારણ એક હેય છે, પરંતુ પરંપરકાર અનેક હોય છે. કાર્યની સિદ્ધિ પૂરેનું અંતિમ કારણ તે અનંતરકારણ અને તેની પાશ્વભૂમિમાં રહેલાં અન્ય કારણો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org