________________
જેન સાહિત્ય સમારોહ – ગુછ દે
શકતું નથી. આધુનિક વિજ્ઞાનની કોઈ પણ શાખાના સિદ્ધાંત અને સૂત્રોમાં આ સિદ્ધાંત અંતભૂત થયો હોય જ છે.
લેકવ્યવહારમાં અનેકાંતની સ્વીકૃતિ
" આપણું સાંસારિક વ્યવહારમાં અને કાંતવાદની સ્વીકૃતિ સમાયેલી છે પરંતુ આપણને તેનું ભાન નથી. લેકમાં કહેવત છે કે
આત્મા અમર છે.” બીજી કહેવત છે “નામ તેને નાશ છે.” આત્મા પણ કઈ વસ્તુનું નામ છે તેથી આ બીજી કહેવત મુજબ આત્મા નામની વસ્તુ પણ નાશવંત ઠરે છે. આ રીતે આ બેઉ કહેવાનું વિધાન પરસ્પર વિરોધી હોવા છતાં પણ આપણે ભાગે જ આ કહેવતાની યથાર્થતામાં વાંધો ઉઠાવીએ છીએ. “આત્મા. અમર છે' ત્યાં અમર એટલે અવિનાશી, શાશ્વત, નિત્ય ધ્રુવ અને. નાશવંત એટલે અનિત્ય, વિનાશી, અધ્રુવ. આમ એક કહેવત આત્માને નિત્ય કહે છે અને બીજી તેને અનિત્ય કહે છે. આમ છતાં પણ આપણને આ કહેવતોમાં વિસંવાદ શા માટે નથી. જણાતો? સહેજ ઊંડા વિચાર કરતાં જણાશે કે આવાં પરસ્પર વિરોધી વિધાન કેઈ એક જ દષ્ટિબિંદુપૂર્વક તે ઘટી ના શકે, ‘આની પાછળ બે વિરોધી દષ્ટિબિંદુઓની અપેક્ષા કામ કરી રહી હોવી જોઈએ. જેવી રીતે સિક્કાની પરસ્પરવિરોધી દિશાભિમુખ બે બાજુઓનું કોઈ પણ દકે.બિં થી નિહાળતાં દર્શન થઈ શકતું નથી પરંતુ તે બેઉ પાસાંઓનું દર્શન કરવા પરસ્પર વિરુદ્ધ દિશાભિમુખ ક્રમ પૂર્વક બે દકેબિઓ પરથી સિક્કાનું દર્શન કરવું પડે છે. તેવી જ રીતે વસ્તુને “નિત્ય” અને “અનિત્ય” એવા બે વિરોધી ધર્મોનું કોઈ એક નયની અપેક્ષાએ વિધાન થઈ શકતું પરંતુ તે વિરોધી ધર્મોનું પરસ્પર વિરોધી બે નયની ક્રમિક અપેક્ષાપૂર્વક જ થઈ શકે છે. તેથી આપણે એ વિચારવાનું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org