________________
જેન દાર્શનિક વિચારણને આદિકાળ
૩૯
એ વાદનું નિરાકરણ મળે છે–આ વાદ આપણે સાંખ્યદર્શનમાં સ્થિર થયેલે જોઈએ છીએ આનું ખંડન થયેલ હોઈ આત્માને કર્તા માન જોઈએ એમ ફલિત થાય અને આચારાંગમાં તો સ્પષ્ટ આ વાત કહેવામાં આવી જ છે કે જીવ કર્મ, કર્તા અને ભક્તા છે જ. બૌદ્ધોના ક્ષણિક એવા પાંચ સ્કંધને ઉલ્લેખ કરી તેનું પણ નિરાકરણ કર્યું છે પણ એને સ્થાને જેને માન્યતાના પંચાસ્તિકાય કે એવી કઈ કલ્પનાને નિર્દેશ અહીં નથી. ગે શાલકના સાંગતિક અથવા નિયતિવાદનું ખંડન કરવામાં આવ્યું છે તેથી પુરુષાર્થવાદ ફલિત થાય છે આ જગતની ઉત્પત્તિ કોણે કરી તે વિષેના વિષ્ણુ, ઈશ્વર આદિ નાના મતોનું નિરાકરણ સૂત્રકૃતાંગમાં છે. તેથી એ ફલિત થાય છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કોઈએ કયારેય કરી હેય એમ નથી. પણ તે અનાદિ અનંત છે. અર્થાત્ જે પાછલા કાળમાં ભારતીય દર્શનેમાં સ્થિર થયેલ ઈશ્વરકૃત જગત છે એ મતને સ્વીકાર જેનો કરતા નથી. અને તે મતનું વિસ્તૃત નિરાકરણ પાછળના કાળના જેન દાર્શનિકોએ કર્યું છે. અજ્ઞાનવાદીનું પણ ખંડન કર્યું છે. એથી એ સિદ્ધ થાય છે કે સંસારના પ્રમેય જાણું શકાય છે. અને એથી જ સર્વજ્ઞનો સિદ્ધાંત ફલિત થાય છે.
સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ઉક્ત બધા જ વાદનું વિસ્તારથી વર્ણન છે અને તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એ બધા જ મતોનું વર્ગીકરણ ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી–એમ ચારમાં પણ કરવામાં આવ્યું છે, અને તેને વિસ્તાર ૩૬૩ મતોમાં થાય છે એવું દ્વિતીય શ્રુતસ્ક ધમાં નિર્દિષ્ટ છે.
જેને મત ક્રિયાવાદી છે એ તો આચારાંગમાં સ્પષ્ટ થયું જ છે. પણ સૂત્રકૃતાંગમાં (૧-૧૨) અન્ય ક્રિયાવાદીથી જનસંમત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org