________________
જૈન દાર્શનિક વિચારણને આદિકાળ
29.
જે માયા સે વિનાયા, જે વિનાયા તે ગાયા, નેળ विजाणइ से आया " આ ઉપરથી આત્મા એ વિજ્ઞાનમય છે એવું મંતવ્ય સિદ્ધ થાય છે અને તે ઉપનિષદોને મળતું આવે છે. પણ આ વિજ્ઞાનમય આત્માનું પ્રાચીન રૂપ જાળવીને પણ તેમાં સંશોધન કરવામાં આવ્યું કે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર શક્તિઓ છે. આ સંશોધનના મૂળમાં પણ જેના પછીના કાળની આઠ કર્મની વિચારણાએ અને તેમાં પણ ઘાતકર્મની વિચારણુએ મુખ્ય ભાગ ભજવ્યો છે એ સ્પષ્ટ થાય છે.
આચારાંગમાં મેક્ષ નિર્વાણની કલ્પના તો છે પણ મુક્ત જીવોના સ્થાન વિષેની કોઈ કલ્પના કરવામાં આવી નથી. આ વિશે પણ પંચાસ્તિકાયની વિચારણું અને આત્માને દેહ-પરિમાણની વિચારણા જ્યારે થઈ ત્યારે જ મુક્ત જીવોના સ્થાનની કલ્પના પણ અનિવાર્ય બની ગઈ અને તે લોકાંતે હેવાનું સ્વીકારવામાં આવ્યું.
આચારાંગ બાબતે હજી વિસ્તાર અપેક્ષિત છે. પણ અહીં તો માત્ર દિશાસૂચનરૂપે આટલું કહી સંતોષ માનું છું, જેથી સામાન્ય રૂપે જૈન દર્શનની પ્રાચીન ભૂમિકાનું અસ્તિત્વ સૂચિત થશે.' સૂત્રકૃતાંગના પ્રથમ શ્રતકંધમાં જૈન દર્શન
આચારાંગમાં આચારની વિશેષ રૂપે ચર્ચા હાઈ એવી દલીલ થઈ શકે કે તેમાં દાર્શનિક ચર્ચાને અવકાશ ન હોઈ શકે. પરંતુ આચારની ચર્ચા પ્રસંગે પણ નિરૂપણની પ્રવૃત્તિમાં જે શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યું છે તે પછીના કાળે વપરાતા પારિભાષિક શબ્દની ભૂમિકારૂપ છે, પારિભાષિક રૂપે અથવા પરિભાષાબદ્ધ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org