________________
જેન તેત્રસાહિત્ય
| ૨૭૧ જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ ત્રિવેણીને સુમેળ હતો. તેમણે વીર વર્ધમાને માન્ય કરેલા ત્યાગ, તપ અને સમભાવ - સ્યાદ્વાદને જીવનમાં ઉતારી જૈન ધર્મનાં વાસ્તવિક તવો અને સંસ્કાર પ્રજાવ્યાપક બને તે માટે તેમણે તેત્રોનું માધ્યમ સ્વીકાર્યું. તેમનાં સ્તોત્રોમાં જૈનધર્મ અને દર્શનના સિદ્ધાંત કાવ્યાત્મક અભિવ્યક્તિ પામ્યા છે.
હેમચંદ્રાચાર્યે “મહાદેવૌંત્ર”ના કુલ ૪૪ કલેકેમાં મહાદેવનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. કુમારપાલે શિવની સ્તુતિ કરવા જણાવ્યું ત્યારે હેમચંદ્ર “મહાદેવસ્તોત્ર બનાવ્યું. તેમાં મહાદેવ કોણ કહેવાય એને માટેના ગુણો બતાવી તેવા ગુણવાળા એટલે કે જેના ભવરૂપી બીજના અંકુરો ઉત્પન્ન કરનાર રાગાદિ દેષ શમી ગયા હોય તેવા જે કોઈ દેવ હાય – પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય – તેને મારા નમસ્કાર છે એવી વિલક્ષણ રજૂઆત કરીને હિંદુ-જૈન ધર્મને જાણુ સમન્વય કર્યોઃ
भवबीजांकुरजनना रागादयः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्यै ॥४४॥
જૈન ધર્મની દષ્ટિએ વારતવિક પરમાત્મા પણ કહેવાય એની કેવી સચોટ ૨જૂઆત !
હેમચંદ્રાચાર્ય વર્ધમાનની સ્તુતિ માટે અન્યગવ્યવહેંદધાર્વિશિકા” અને “અગવ્યવચ્છેદકાર્નાિશિકા' નામની ૩ર કી
સ્તુતિઓ દ્વારા જૈન દર્શનના પ્રમુખ સિદ્ધાંત જેવા કે સ્યાદ્વાદ, -નય, પ્રમાણુ, સપ્તભંગી ઇત્યાદિ પર અતિગંભીર અને સૂક્ષ્મ વિચારોને કાવ્ય-વાણીમાં ઉતાર્યા છે. “અગવ્યવચ્છેદઠાત્રિશિકા તેત્રના આરંભે ચાર અતિશય અને યથાર્થવાદનું નિરૂપણું છે. લેક ૪ થી ૧૨ માં મીમાંસક વગેરેના સિદ્ધાંતે રજૂ કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org