________________
મર્યાદિત રહી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે શરૂ કરેલી જેના સાહિત્ય સરાહની પ્રવૃત્તિનું સાતત્ય આજ દિવસ સુધી સાર જળવાઈ રહ્યું છે એ જૈન સાહિત્યના ક્ષેત્રે એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની રહેશે.
જન સાહિત્ય માટે આવી જાહેર પ્રવૃત્તિ ફરી ચાલુ કરવાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના હીરક મહેત્સવ પ્રસંગે નક્કી - કર્યું હતું અને તદનુસાર ઈ. સ. ૧૯૭૭ માં પ્રથમ જૈન સાહિત્ય સમારોહ શ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજવામાં આવ્યા હતા. એ સમારોહની સફળતાથી પ્રેરાઈને એના સોજકોને અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિને લાગ્યું કે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા જેવી છે. ભાગ્યે ભિન્ન ભિન્ન સંસ્થાઓના નિમંત્રણ દ્વારા ત્યાર પછી અનુક્રમે મહુવા, સૂરત, સોનગઢ (સૌરાષ્ટ્ર), માંડવી (કચ્છ), ખંભાત અને પાલનપુરમાં સાહિત્ય સમારોહ યોજાયા અને હવે આ આઠમો જૈન સાહિત્ય સમારોહ શ્રી સમેતશિખર તીર્થમાં
જાયું છે. જૈન સાહિત્ય માટે એક પ્રકારની જાગૃતિનું વાતાવરણ નિર્માતું જાય છે. રાજકોટ, પાલિતાણ, તીથલ વગેરે સ્થળામાં સમારોહ યોજવા માટેનાં નિમંત્રણ પણ મળેલાં છે. - નદીના ઉગમસ્થાનનું સંશોધન કરતાં જણાય છે કે પ્રારંભમાં છૂટાંછવાયાં વહેણ, સ્ત્રોત અને ધોધરૂપે પર્વતની હારમાળાઓમાંથી વહેતા નીરને આગળ જતાં સંગમ થાય અને ઊછળતા, કૂદતા, અથડાતા-કુટાતા ઝરણુમાંથી જેમ સરિતાનું સ્વરૂપ બંધાય તેમ જૈન સાહિત્ય સમારોહનું સ્વરૂપ બંધાવાની પ્રક્રિયા અત્યાર સુધીના સમારોહ દરમિયાન થોડી થોડી થતી રહી છે.
નિબંધ લખવા અને સમારોહમાં ઉપસ્થિત રહેવા વિદ્વાનને. - યથાશક્તિ પ્રોત્સાહન અપાય છે અને પ્રત્યેક સમારોહ માટે નિબંધોની સંખ્યા વધતી રહી છે. એટલે સમારોહમાં રજૂ થતા બધા જ
13.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org