________________
ધ્યેય, ધ્યાન, યાતા
૧૧૭ આત્માને પ્રાપ્ત કરવા માટે પ્રથમ ત્યાગ–વિરાગ જોઈએ. ત્યાગ-વિરાગ સહિત જ્ઞાન-ધ્યાન થાય તો ઓછી મહેનતે બંધને તૂટે.
ઈન્દ્રિ અને દેહને બીજાં પોષી પણ શકે છે અને જોષી પણ શકે છે, મારી ય શકે છે.
પરંતુ મનને કોઈ બીજુ અમન કરી શકતું નથી સિવાય કે જીવ સ્વયં પોતે પોતાના મનને અમન બનાવે.
ત્યાગ વિરાગથી અટકવાનું નથી, પરંતુ સ્વરૂપનું જ્ઞાન–યાન કરીને નિરાવરણ થવાનું છે.
ન્યાયસંપન્ન વૈભવ જોઈએ, તેમ ન્યાયસંપન ધર્માચરણ પણ હેવું જોઈએ. પરિણામશુદ્ધિ બધે રાખવી તે અત્યંત પંચાચાર છે.
સ્વાધીનતા અને અન્યની સેવા-વૈયાવચ્ચ ગુણ નહિ આવે તો બાહ્ય ત્યાગ-વૈરાગ્ય ટાં. અન્ય જીવો સાથે જીવનવ્યવહાર સુંદર છે જોઈએ. દેહ છે ત્યાં સુધી બીજા વડે જીવીએ છીએ માટે બીજાનું કરી છૂટવું જોઈએ.
તે જ પ્રમાણે જ્ઞાની-ચાનીના જીવનમાં શાંતિ અને સમતા નહિ આવે તો જ્ઞાન અને ધ્યાન ખોટાં,
ત્યાગ એટલે સેવા-પોપકાર-સ્વાધીનતા ! વૈરાગ્ય એટલે પ્રેમપૂર્ણતા !
જગત આખું દ્રવ્યસ્વરૂપ છે. આત્મા જ માત્ર ભાવસ્વરૂપ છે. સર્વ દ્રવ્યના ભાવેને ભાવ આત્મા કરે છે. - સાધનાના ગમે એટલાં ભેદ હોય પરંતુ સાધનની સફળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org