________________
સંપાદકીય
“જૈન સાહિત્ય સમારોહ” (અહેવાલ તેમજ અભ્યાસલેખે , અને વ્યાખ્યાન) ગુછ-૨ નામને આ ગ્રંથ પ્રગટ થાય છે એ
અમારે મન અત્યંત હર્ષની વાત છે. ૧૯૮પને ફેબ્રુઆરીમાં પ્રથમ ગુચ્છ પ્રગટ થયેલો. ત્યારપછી બે વર્ષ જેટલા ગાળામાં આ બીજે ગુચ્છ પ્રગટ થાય છે. પ્રથમ ગુરછમાં આરંભના પાંચ સમારોહ માટે આવેલા અભ્યાસલેખોમાંથી પસંદગી કરીને કેટલાક લેખો છાપવામાં આવ્યા હતા. તેમાં દરેક લેખકને એક જ લેખ હેવાનું ધોરણ
સ્વીકાર્યું હતું. એટલે છાપવા યોગ્ય કેટલાક લેખો એ ગુરછમાં ગ્રંથસ્થ થયા વગર રહી જાય એ સ્વાભાવિક હતું. - આ બીજા ગુચ્છમાં આરંભના એ પાંચ સમારોહ ઉપરાંત છઠ્ઠા અને સાતમા સમારોહ માટે આવેલા લેખમાંથી, પ્રત્યેક લેખકને એક લેખ છપાય એ જ અગાઉનું ધોરણ સ્વીકાર્યું છે. એમાં મુદ્રણના સમયની મર્યાદા, વિષયનું વૈવિધ્ય અને ગ્રંથની પૃષ્ઠસંખ્યા ઇત્યાદિને લક્ષમાં રાખીને શક્ય તેટલા લેખો સમાવવા પ્રયાસ કર્યો છે. એમ છતાં હજુ એક ગ્રંથ થાય તેટલા લેખે અગ્રંથસ્થ રહે છે, અને આઠમા સમારોહ માટે આવેલા લેખો તે વળી જુદા. હવે પછી ગુરછ-૩ પ્રગટ થાય ત્યારે બાકીના એવા કેટલાક લેખોનો સમાવેશ કરવાનું જરૂર વિચારી શકાશે. . પ્રથમ ગુરછમાં છાપવા માટે અનુપલબ્ધ એવાં બે વિભાગીય પ્રમુખોનાં વ્યાખ્યાનેનું લખાણ મળતાં તેને પણ આ બીજ ગુર૭માં સમાવી લેવામાં આવ્યું છે.
દિન-પ્રતિદિન મુદ્રણખર્ચ જે રીતે વધતું જાય છે, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org