________________
ચતુર્થાં જૈન સાહિત્ય સમારીહ
૬૯
સમીકરણ રચીને સંપત્તિ તેમજ સત્તા આદિનું દ્વિતીય કક્ષાનું યેાગ્ય સ્થાન એમણે સમજાવ્યું હતું.
સર્જનાત્મક સાહિત્યના પ્રકાશનની જરૂરિયાત
જૈન સાહિત્યની સંભવિત નવી ક્ષિતિજો તરફ અંગુલિનિર્દેશ કરતાં એમણે કહ્યું : “ પ્રકશિત થતા જૈન સાહિત્યમાં આજે સર્જ કતા કેટલી છે અને પરંપરાગત કેટલું છે એ પ્રશ્ન વિચારવા જેવા છે. માત્ર શુદ્ધ જ્ઞાન અંગેનું સાહિત્ય આપવાને બધ્યે સર્જનાત્મક સાહિત્યના પ્રકાશનને વિશેષ મહત્ત્વ આપવાની જરૂર છે. આજે પ્રકાશિત થતા જૈન સાહિત્યમાં ૯૦ ટકા સાહિત્ય પરંપરાગત અને સારચિત કે પ્રેરિત છે; ૮ ટકા સાહિત્ય વિવાદ અને પરસ્પરના સંધ અંગેનું છે અને માત્ર ૨ ટકા સાહિત્ય સર્જનાત્મક સાહિત્ય છે. આ ક્રમ ઉલટાવવા જોઈએ. પ્રકાશિત થનાર સાહિત્ય અંગે નિય કરનારી અનુભવી અને નિષ્પક્ષ સમિતિ એનું મૂલ્યાંકન કરે ત્યારબાદ જ જૈન સાહિત્યનું પ્રકાશન થાય એવી વ્યવસ્થા થાય તે હિતાવહ છે.’ સામાયિક અને પ્રકાશન: સ્વતંત્ર સામાજિક સ્વરૂપ
સર્જનાત્મક સાહિત્યના વિવિધ સ્વરૂપે! જેવાં કે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા, નિબાઁધ, સામયિક, અનુવાદ, લઘુ કથા આદિના સર્જન તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂકીને સાયિક અને જૈન પત્રાનું સ્વતંત્ર સામાજિક સ્વરૂપ નથી એમ તેઓએ જણાવ્યું હતું. સમીક્ષા, તાત્ત્વિક કે નિતાંત પર`પરાગત સાહિત્ય સમકાલીન નથી અને એની ભાષાશૈલીમાં પશુ ાઈ ઉલ્લેખનીય પરિવર્તન નથી એમ જણુાવીને. નેમીચંદજી જૈને જણાવ્યું હતું કે વાંચક વર્ગની જાગૃતિના અભાવે સમજદાર વાંચક વર્ગ તૈયાર થયા નથી. એમણે વધુમાં જણાવ્યું કે “ શૈલી કે ભાષાવિજ્ઞાનની દષ્ટિએ જૈન સાહિત્યનું ગહન મૂલ્યાંકન થયું નથી અને વિદ્વનું એ તરફ લક્ષ ગયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org