________________
શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળામાં અત્યાર સુધીમાં મુનિ સુંદર-કૃત “અધ્યાત્મકલ્પદ્રુમ', જેની દષ્ટિએ ગ', “આનંદધનજીનાં પદ ૧-૨, “આનંદઘનજી ચોવીશી, મહેપાધ્યાય શ્રી વિનય-- વિજયભુત શાંત સુધારસ” ઇત્યાદિ ગ્રંથે પ્રગટ થયા છે. શ્રી મોતીચંદભાઈ કાપડિયાના વિસ્તૃત વિવેચનવાળા શ્રી ઉમાસ્વાતિ વાચકવિરચિત ધર્મગ્રંથ “પ્રશમરતિ'ના સંપાદન-પ્રકાશનનું કાર્ય ચાલી રહ્યું છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ઉપરાંત રજત જયંતી અને સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે પ્રગટ કરેલ છે અને આચાર્ય શ્રી વિજયવલભસુરીશ્વરજી મારક ગ્રંથ સંશોધનાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પૂરી પાડે છે. ઈ. સ. ૧૮૯૩માં ચિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીનું હૈ. દીક્ષિત સંપાદન કરેલ “ધી સીસ સીસ્ટમ્સ ઓફ ઈન્ડિયન ફિલોસોફી” અને સ્વ. ડે. મોતીચંદ્ર અને ડેઉમાકાન્ત શાહ-કૃત “ન્યુ ડોકયુમૅર્સ ઓફ જૈન પછીરંગ' ઇત્યાદિ વિદ્યાલયનાં પ્રકાશનેએ દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા વધારી છે.
વિદ્યાલયની જૈન ધર્મ અને સાહિત્યવિષયક આ પ્રવૃત્તિમાં યશકલગીરૂપે એક નવી પ્રવૃત્તિને ઈ. સ. ૧૯૭૭માં ઉમેરે થશે. વિદ્યાલયના હીરક મહેત્સવ નિમિતે વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જિન સાહિત્ય, તત્વજ્ઞાન, ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, પત્રકારત્વ - આદિનું નિયમિત પરિશીલન-પરિમાર્જન થાય એ હેતુએ જેના સાહિત્ય સમારોહ યોજવાનું વિચારાયું. આ પ્રવૃત્તિને વિદ્વાને અને સમાજ તરફથી એવો ઉમળકાભર્યો સહકાર મળે છે કે આ પ્રવૃત્તિનું સાતત્ય જળવાઈ રહ્યું. પરિણામે મહુવા, સુરત, સેનગઢ (સૌરાષ્ટ્ર) અને માંડવી( કચ્છ)માં અનુક્રમે દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમો જૈન સાહિત્ય સમારોહ યોજાયે હતે. હવે છો જેને સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org