________________
જૈન સાહિત્ય સમારોહ - જૈનોએ એક પ્રકારનું સમાધાન કર્યું. ધર્મથી જૈન રહ્યા, પણ વ્યવહારમાં હિંદુ થયા. હિંદુ સમાજની જ્ઞાતિ-જાતિ સ્વીકારી, તેનાં રીતરિવાજે
અપનાવ્યાં. હિદુ કાયદે જેનોને લાગુ પાડયો, પણ ધર્મથી પોતાનું - વ્યક્તિત્વ જાળવી રાખ્યું.
જૈન સાહિત્યમાં મુખ્ય આગમ એક ગણતરીથી ૩૨, બીજી ગણતરીથી ૪૫. આ આગમ ગ્રંથોનું સંકલન ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ થયું. દિગંબર માન્યતા અનુસાર બધું આગમ સાહિત્ય કાળક્રમે લુપ્ત થયું છે, અને મૂળ રૂપમાં અપ્રાપ્ય છે. દિગંબર સાહિત્ય બધું આચાર્ય રચિત છે પણ વેતાંબર સાહિત્ય કે દિગંબર સાહિત્ય, બંનેમાં ભગવાન મહાવીરના ઉપદેશની મૂળ ધારા સચવાઈ રહી છે. આગમ સાહિત્ય ઉપર, નિર્યુક્તિ, ભાષ્ય, -ચૂર્ણિ તથા ટીકાના રૂપમાં વિશાળ સાહિત્યની રચના થઈ છે. આ બધું સાહિત્ય મોટે ભાગે આધ્યાત્મિક જીવનને લગતું છે. '
આ ઉપરાંત બીજા વિષય ઉપર પણ વિશાળ જૈન સાહિત્ય છેઃ ન્યાય, નય, નિક્ષેપ, અનેકાન્ત, સ્યાદવાદ, કાવ્ય, વ્યાકરણ, છંદ, અલંકાર, કેશ, નાટય, સંગીત, કલા, ભૂગોળ, ખગોળ, ગણિત, - જ્યોતિષ, આયુર્વેદ, અર્થશાસ્ત્ર વગેરે વિષ ઉપર વિવિધ પ્રકારનું સાહિત્ય છે. વિપુલ કથાસાહિત્ય, પૌરાણિક-ઐતિહાસિક ચારિત્રસાહિત્ય, આચાર – મુનિઓ તથા શ્રાવકેનાં વિધિવિધાને, ક્રિયાઓ,
ગ, ધ્યાન, કર્મવાદ. જ્ઞાનને કઈ વિષય એવો નથી કે જેને ઉપર જૈન સાહિત્ય ન હોય.
આ સાહિત્ય વિવિધ ભાષાઓમાં છેઃ અર્ધમાગધી, શૌરસેની, અપભ્રંશ, સંસ્કૃત, કન્નડ, તામિલ, પ્રાચીન ગુજરાતી વગેરે.
આ બધા સાહિત્યને કેવી રીતે મૂલવશું ? અત્યારસુધી ઘણું અપ્રકટ હતું, હવે પ્રકટ થતું જાય છે. દાખલા તરીકે, ભૂગોળ, ખગોળ, ગણિત, જ્યોતિષ, આયુવેદ વગેરે વ્યાવહારિક જ્ઞાનના વિષયો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org