________________ 42 અમૃત મહોત્સવ સ્મૃતિ ઇ કરી એવો નિર્ણય કર્યો કે જયેષ્ઠ પુત્રને સર્વ કારભાર સોંપી જીવ અજીવ તત્વને જાણી પ્રમાણ નિર્ચન્થનો અનાદિ વડે સત્કાર કરી વિહરવું. શિવાનંદાએ સંમતિ આપી અને કહ્યું : 'જેવો આપનો સંકલ્પ. હું પણ શ્રમણોપાસિકા થઈ છે. અગારધર્મનું પાલન કરી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાની આરાધક થઈ છે. મને માન આ વાત જાગતાં પુત્રને દુ:ખ થયું. “મા! પિતાજી! શું આપ સંસાર ત્યાગ કરશો? અમને છોડી જશો?' દેવાનુપ્રિય! કર્મના ઉદયે કરી જીવ આ સંસારમાં ચાર ગતિરૂપ પ્રયાણ કરે છે. તેથી વિવિધ દ:ખો અને તીવ્ર દાવાનળથી સંતપ્ત થાય છે. એ દિશામાં પ્રયાણ કરવાનું હવે અમે છોડી દીધું છે. હવે અમારી ગતિ તે સર્વ કષાયોની નિવૃત્તિ કરી આત્માને ભાવિત કરવો.' માતા બોલી: ‘અમારો અભિગમ જિનપ્રભુની પગૃપાસના અને એ જ અમારું પરલોકનું ભાથું.' એ સાંભળતાં પુત્ર બોલ્યો, “મા! હું જાણું છું. ચૌદ ચૌદ વર્ષોથી આપ બન્ને આચારમાં અહિંસા, વિચારમાં અનેકાન્ત, વાણીમાં સ્યાદ્વાદ અને જીવનમાં અપરિગ્રહનું આચરણ કરી જેમ દીપક તેલ, વાટ અને કોડિયાથી અલિપ્ત રહી, વાયુરહિત સ્થાનમાં સુરક્ષિત રહી અન્યને પ્રકાશ આપે છે તેમ આપના તપનું તેજ પણ સાંસારિક જીવોને પ્રકાશિત કરે છે. આપ જવા જ ઇચ્છો છો તો હું નહીં રોકું, પણ એટલી પ્રાર્થના કરે છે કે આપ જ્યાં જ્યાં વિહાર કરો એનો સંદેશો પાઠવતા રહેજો. અમે હજી માયા * મમતાને છોડી શક્યા નથી. કોઈ વખત આપના દર્શન માટે આવી શકીએ.” પછી વિદાય વેળાએ સ્થિતપ્રજ્ઞની જેમ આનંદે ગૃહત્યાગ કર્યો. શિવાનંદા આખર માતા હતી. હૈયામાંથી મમતાનું ઝરણ આંખો સુધી આવ્યું પરંતુ પતિની દઢતા જોઈ એણે રોકી રાખ્યું ને પતિની પાછળ ચાલી નીકળી. પોતાના આધ્યાત્મિક વિકાસ માટે આનંદ અને શિવાનંદાએ ભગવાન મહાવીરે ચીધેલા માર્ગ પર પગરણ માંડ્યાં. ભગવાનના સાધનામાર્ગ અને આચારધર્મનું પાલન કરે છે. વાસનાઓ અને કષાયો ડગલે ને પગલે વિકાસમાં