________________ 343 શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક આર. શાહ. ગુજરાતભરમાં એમણે વિદ્યાલય માટે જમીન ખરીદી, સાચા અર્થમાં વિદ્યાલયને વાચા આપી. એમણે વિદ્યાલયના નામની એવી તો ઝાલર વગાડી કે વિદ્યાલયનું નામ ગુજરાતભરમાં ગાજતું થઈ ગયું. શ્રી જે. આર. શાહનાં ૧૯૫૮થી ૧૯૯૦નાં વર્ષો પાયાનાં પથ્થર બનીને રહ્યાં. એમના ક્રાંતિકારી વિચારોથી સંસ્થાને લાભ થયો. જીવનનો દીર્ઘ કાળ એમણે વિદ્યાલયની સેવા અને પ્રગતિમાં ધરી દીધો. વિદ્યાલયના ઇતિહાસમાં શ્રી જે. આર. શાહનાં આ વર્ષો યાદગાર નજરાણું બનીને રહ્યાં છે. વિદ્યાલયની હાલની સમિતિ ઉપર એક એવી પ્રતિભાશાળી અને વિશિષ્ટ વ્યક્તિની વરણી કરવામાં આવી કે જેમનું જીવન શિક્ષણપ્રેમ અને માનવતાથી સભર છે, જેમણે સારાયે વિશ્વમાં નામ ગાજતું કર્યું છે. એવી પ્રતિભા છે શ્રી દીપચંદભાઈ સવરાજ ગાડ. શ્રી દીપચંદભાઈ ગાડનો સંકલ્પ તો જુઓ કે તેમના વિચારના દરેક સાથે ગામે ગામ શાળાઓ સ્થાપવી એ પણ એમનો દઢ સંકલ્પ છે. એમની દીર્ધદષ્ટિ એવી છે કે કોઈપણ જાતના ભેદભાવ વગર નાનામાં નાના ગામડામાં પણ - પછી એ આસામ હોય, બિહાર હોય કે ગુજરાત હોય * શાળાઓ ઊભી કરવી અને શિક્ષણથી વંચિત ન રહે તે માટે દરેક ગામડાને જાગ્રત કરીને શિક્ષણયુગની સ્થાપના કરવી. આમ જુઓ તે તેઓ ભારત સરકારનું કામ કરી રહ્યા છે. આવી વ્યક્તિ મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખસ્થાને હોય એ સંસ્થાનું ગૌરવ છે અને સંસ્થા એમના પ્રમુખપદે વધુ પ્રગતિ સાધીને એક વટવૃક્ષ બની જશે એમાં શંકા નથી. વિશેષ આનંદની વાત એ છે કે શ્રી દીપચંદભાઈ પોતે આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વિદ્યાલયની વિકાસયાત્રામાં ભાવિના અનેક સંકેતો સર્જવા માટે સદાય કટિબદ્ધ એવી આજની વિદ્યાલયની સમિતિના અધ્યક્ષપદે રહેલા શ્રી દીપચંદભાઈ ગાર્ડ દઢપણે માને છે કે સમાજના કલ્યાણ અર્થે થયેલ આ વિદ્યાલયનો જન્મ તેને પંચોતેર વર્ષનો દીર્ધકાળ પૂરો કરે છે ત્યારે જ્ઞાનની અમૃતધારા રેલાવવાનો તેનો અવિરત પુરુષાર્થ વિદ્યાલયની ગૌરવગાથા બની રહેશે. શ્રી દીપચંદભાઈ ગાડની જેમ જ સંસ્થાને સબળ નેતૃત્વ અને સહકાર