________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ તારીખ : 21-6-1947 વડોદરા : શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ તારીખ : 11-6-1954 વલ્લભ વિદ્યાનગર : શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ તારીખ : 25-1-1964 ભાવનગર : શ્રી મણિલાલ દુર્લભજી વિદ્યાથીગૃહ તારીખ : 16-5-1970 અંધેરી : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી વિદ્યાથીંગૃહ તારીખ : 15-6-1972 એ કમની સાથે જ આજે સને 1992-93 સુધીમાં એની વધેલી ક્ષમતા પણ આપણું ધ્યાન ખેંચે છે. તળ મુંબઈમાં 115 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. અમદાવાદમાં 128, પૂનામાં 80, વડોદરામાં 120, વલ્લભવિદ્યાનગરમાં 129, ભાવનગરમાં 90 અને અંધેરી-મુંબઈમાં 110 આમ કુલ લગભગ પોણા આસો વિદ્યાથીઓ આ સંસ્થાઓનો લાભ લઈ રહ્યા છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ સવિશેષ ત્રણ મૂળભૂત નિયમોનું પાલન કરવાનું હોય છે. એ ત્રણ મૂળભૂત નિયમો એટલે(૧) જિનપૂજા-આ માટે દરેક શાખામાં શ્રી જિનાલયની વ્યવસ્થા છે. (2) રાત્રી ભોજન ત્યાગ-સૂર્યાસ્ત પહેલાં જમી લેવું. (3) ધર્મનું વ્યવસ્થિત શિક્ષણ અને તેની વાર્ષિક પરીક્ષા સમાજના વિવિધ સ્તરને લક્ષમાં રાખીને સંસ્થાના સંચાલકોએ ચારવર્ગ પાડ્યા: લોન વિદ્યાર્થીઓ, હાફ પેઈંગ, પેઈંગ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટના વિદ્યાર્થી. જૈન સાહિત્યનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થી પણ દાખલ થઈ શકે છે. આ ઉપરાંત એક અન્ય યોજના મુજબ હોંશિયાર અને જેમને આર્થિક સહાયની જરૂર હોય તેવા જૈન વિદ્યાર્થીઓને લોન આપવાનું પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકાર્યું છે. આનંદની વાત તો એ છે કે આ લોન લેનાર વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે નોકરી કે પોતાના ધંધામાં પરોવાય છે ત્યારે સંસ્થામાંથી લીધેલી લોન અચૂક ભરપાઈ