________________ 314 ગૌરાંગ પ્રજાનું ઉદ્ભવસ્થાન (or Aryans) entered India from the mid Himalaya region, and its altitude towards the N. W. frontier lands no support to any invasion from that quarter. These are very noteworthy facts. Myth suggests the country ltavarta in the north as the region from which they came." (pp 298.300) “વાયવ્ય સરહદની કોઈ પ્રાચીન પવિત્ર સ્મૃતિઓ કયારેય પણ મળતી નથી અને એ સરહદ તરફ કોઈ આદરભાવ કદી માનવામાં આવ્યો નથી. બધી જ ભારતીય પ્રાચીન માન્યતા અને આદરની ભાવના મધ્ય-હિમાલયા પ્રદેશ પ્રત્યે રહી છે, બહારની મૂળ પવિત્ર ભૂમિ આ જ માત્ર છે. એવું કદી જ નહિ કે ઋષિઓ અને રાજવીઓએ ભક્તિભાવથી વાયવ્ય ખૂણાની તરફ પદસંચાર કર્યો હોય. ઋવેદ (૧૦-૩૫)માં આપવામાં આવેલો નદીઓનો નકકી કમ પૂર્વથી વાયવ્ય ખૂણા તરફનો છે. વાયવ્ય ખૂણાથી પ્રવેશ ક્રમ નહિ, પરંતુ તદ્દન ઊલટો.. પરંપરા કે પૌરાણિક ગાથા સ્પષ્ટરૂપે બતાવે છે કે ઐલ (યાને આર્ય) લોક ભારતીય ઉપખંડમાં મધ્ય હિમાલય પ્રદેશમાંથી દાખલ થયા અને એને વાયવ્ય ખૂણાની સીમા તરફ જોવાની રસમ એ પ્રદેશમાંથી કોઈ આક્રમણ આવ્યાની વાત બતાવતી નથી. આ બધી નોંધપાત્ર હકીકત છે. પૌરાણિક ગાથા જે પ્રદેશથી એ લોકો આવ્યા તે પ્રદેશ ઉત્તરનો ઈલાવત’ હોવાનું સૂચિત કરે છે.” શ્રી પાર્જિટરે આ (ર૯૮-૩00) પૃષ્ઠોમાં અકાઢ્ય વિધાનોથી સ્થાપિત કર્યું છે કે ઐલો (યાને આ)મૂળ નિવાસસ્થાન હિમાલયનો મધ્ય પ્રદેશ હતું. નકશો જોવાથી તદ્દન સ્પષ્ટ છે કે આ પ્રદેશ કાશ્મીરનો છે. હિમાલયની ઉત્તર-પૂર્વ સીમાપર (ત્રિવિષ્ટપ (તિબેટ) છે. સંસ્કૃત ભાષામાં સ્વર્ગ” નો એક પર્યાય (ત્રિવિષ્ટપ” છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ત્યાં દેવોનો વાસ અને એનો રાજવી છે. વાસ્તવમાં તે એ ગોરાંગ પ્રજાનો વાચક છે. એ ભૂખંડની આ પ્રજાનો પૌરાણિક ચંદ્રવંશીય રાજાવલીને પહેલો રાજા ઈલા (વસ્તુસ્થિતિએ પૃથ્વી')નો પુત્ર તે ઐલ પુરુરવા એના વંશજેને શ્રી પાર્જિટર “ઐલ' કહે છે અને or aryan અથવા “આર્ય' એમ કહે છે. શ્વેદમાં તો “આર્ય’ શબ્દ સંસ્કારી” (cultured) અર્થમાં છે. પેલું પ્રસિદ્ધ મંત્રવાર જીવન્તો વિશ્વમાર્થ (ઋ. ૯-૬૩-૫)-સમગ્ર વિશ્વને “આર્ય કરનારા-માં આ જ માત્ર અર્થ છે. ઋગ્વદમાં આર્ય શબ્દ કેટલીયેવાર ‘દાસ’ અને ‘દસ્ય શબ્દો સાથે વપરાયેલ છે ત્યાં એ જાતિ કે વંશનો વાચક નહિ, પણ