________________ 298 અમૃત મહોત્સવ સ્મૃતિ રાવ યોજન વિસ્તરતાં પ્રકાશકિરણો, હકીકતમાં સૂર્ય જ છે. આમ સૂર્ય દેવાધિદેવ પરમાત્માનું પ્રગટ રૂપ છે, ચરાચર વિશ્વના પ્રવર્તનનું અજોડ સાધન છે. અનેક રોગોના નિવારણનું ઉત્તમ સાધન છે. ચક્ષરોગને દૂર કરવા માટે સૂર્ય ઉપાસના સૂચવતું “ચાક્ષુષોપનિષદ્' છે. બાણકવિના. સાળા મયૂર કવિને કુષ્ઠરોગ થયેલો. ભગવાન ભાસ્કરની પ્રાર્થનાના સો શ્લોકોની રચના કરી, અત્યંત ભાવપૂર્ણ હૃદયે સૂર્ય સામે જોઈ એ શ્લોકોનું ગાન કરી, મયૂર કવિ કુકમુક્ત થયાની પ્રસિદ્ધિ છે. યોગસૂત્રના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે; “ભુવનજ્ઞાનં સૂર્વે સંથમા” (સૂ. 26, સાધનપાદ) અર્થાત સૂર્ય વિષે ધારણા, ધ્યાન અને સમાધિની સિદ્ધિ કરનાર ચૌદ ભુવનોની ઘટનાઓનો જ્ઞાતા બને છે. મુંડકોપનિષદ્ અવ્યય પુરુષ અર્થાતુ પરમાત્માને પામનાર જ્ઞાનીઓ સૂર્યદ્વારા પરમધામ પામે છે એમ કહે છે: तपः श्रद्धे ये ह्युपवसन्त्यरण्ये शान्ता विद्वांसो भैक्ष्यचर्यां चरन्तः / सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्रामृत: स पुरुषो हव्ययात्मा। (1-2-11) આનો અર્થ છે: “તપ:પૂત પુણ્યાત્મા ધીર પુરુષો સૂર્યમાર્ગે જ શ્રીભગવધામ એવં ભગવદભાવની પ્રાપ્તિરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.' આચાર્ય નિંબાર્ક આ બાબતને સ્પષ્ટ કરતાં કહે છે: “विद्वान् मूर्धन्यया नाऽया निष्क्रम्य सूर्यरश्मीननुसारेणोर्ध्वलोकं गच्छति સૈરેવામિરિવારઅર્થાતુ પવિત્રાત્મા વિદ્વાન આ પાંચભૌતિક કલેવર છોડીને સૂર્યનાં કિરણોમાં પ્રવેશ કરે છે અને તે કિરણોના માર્ગે જ દિવ્યતમ ઊર્ધ્વલોકમાં જાય છે. આથી ભગવાન ભાસ્વાનની અચિન્ય એવં અપરિમિત મહત્તા સ્પષ્ટ થાય છે. મોક્ષમાર્ગીઓની તે નિસરણી છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાન્તિ કહે છે. મકર રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારથી છ માસ ઉત્તરાયણ અને બાકીના છ માસ દક્ષિણાયન ગણાય છે. જે માસમાં સૂર્યસંક્રાંતિ ન થાય તેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ કહે છે. આ જ અધિક માસ છે. મલમાસ , શુભકાર્યમાં વિર્ય ગણાય છે. ** *