________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 287 પ્રશ્નો ક્રમશ: લઈ તેના ઉપર વિચાર કરી તેનું નિરાકરણ લાવનાર પ્રબળ સાધન છે. ' પત્રમાં કેવા લેખો કે ચર્ચાપત્રોને સ્થાન આપવું જોઈએ તે વિશે મોહનલાલ લખે છે કે અવિવેક કે અમર્યાદા ન દેખાય, દલીલને બદલે કાદવન ફેંકાય, સમભાવ અને ઉદારભાવની ઊણપ ન વરતાય એવા લેખો-ચર્ચાપત્રોને સ્થાન મળવું જોઈએ. જેન યુગ'ની જવાબદારી સ્વીકારતી વેળા ઉપર કથિત આદર્શો અને ભાવનાઓ નજર સમક્ષ રાખવાની ઉમેદ તેઓ પ્રગટ કરે છે. પણ કલેશ-વિરોધથી દૂર રહેવું એનો અર્થ એ નહીં કે વિચારભેદ પ્રગટ જ ન થવા દેવો. મોહનભાઈ લખે છે કે “ગચ્છ-મમત્વ, સંપ્રદાયનું ઝનૂન, ન્હાનીસૂની નમાલી ભિન્નતાઓને તિલાંજલિ આપવી; છતાં વિચારભેદને આવકાર આપવો -વિચારજડતાને તથા પરંપરાગત આચારશૂન્યતાને ભેદવી.” સંકલ્પો-મહેરછાઓ મોહનભાઈની પત્રકાર તરીકેની વિશાળતા-ઉદારતા-ઉદાત્તતાને છતી કરે છે. ખાસ અંકો કાઢવાનો સિલસિલો મોહનભાઈએ 'જૈન યુગ'નું તંત્રીપદ સંભાળ્યા પછી પણ ચાલુ રાખ્યો અને ચૈત્ર ૧૯૮રનો અંક તથા ભાદરવો-આસો ૧૯૮રનો અંક મહાવીર જયંતીપર્વ અને દિવાળી પર્વ નિમિત્તે મહાવીર ખાસ અંકો તરીકે પ્રગટ કર્યા. તે પછી તરતનો કારતક-માગશર ૧૯૮૩નો અંક જૈન ઇતિહાસસાહિત્ય અંક તરીકે અને પોષ ૧૯૮૩નો અંક સામાજિક અંક તરીકે પ્રગટ કર્યા. ચૈત્ર ૧૯૮૪નો અંક શ્રી મહાવીર ખાસ અંક તરીકે પ્રગટ કર્યો. આમ ‘હરલ’ અને ‘જેન યુગ” બન્નેના ખાસ અંકો પ્રગટ કરવાની મોહનભાઈની રસરુચિ, લગની અને ખેત-ઉદ્યમ નજરે ચડ્યા વિના રહેતાં નથી. એક લેખક બંધુએ તો મોહનભાઈને મીઠો ટોણો મારતાં લખ્યું કે હવે તમારે પણ મહાવીરનો પનારો કયાં સુધી પકડી રાખવો છે? જરા આગળ વધી (પીછેહઠ કરી) પાર્શ્વનાથ, નેમનાથ તરફ તો કંઈક રહેમદષ્ટિ કરો. ગાંધીજીના રેંટિયાની જેમ તમે પણ મહાવીરના અંકની વફાદારી કયાં સુધી પકડી રાખશો?' નિયુગ” જ્યારે ત્રીજા વર્ષમાં પ્રવેશ્ય ત્યારે, સાચા પત્રકારને શું ગ્રાહ્ય-અગ્રાહ્ય બનવું જોઈએ તે વિશે વાત કરતાં મોહનભાઈ લખે છે : “ખોટાં બણગાં ફૂંકવાથી ખરો અર્થ સરતો નથી. અલ્પસાર અતિવિસ્તારવાળા લેખો કે ભાષણોથી નકામો કાલક્ષેપ થાય છે. ઘોંધાટ અને અતિપ્રશંસાની