________________ 270 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 35. પંડિત સુખલાલજી - રઘુવીર ચૌધરી પંડિત સુખલાલજી આ પ્રદેશમાં થઈ ગયા ન હોત તો દર્શકને સત્યકામનું પાત્ર ભાગ્યે જ મળ્યું હોત. એક અપંગ માણસ એની કરુણાના બળે દુનિયાને દોરી શકે આ માનવીય શક્યતા શ્રી દર્શકને આ દાખલામાં દેખાઈ એમાં ઔચિત્ય છે, પ્રતીતિ છે. પંડિતજીના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવનાર સહુ કોઈ જોઈ શકતું કે અહીં કશુંક અનન્ય છે, મહતુ છે. પંડિતજી પરિચય ટ્રસ્ટના પ્રમુખ. “ગ્રંથ' અમદાવાદમાં છપાવવાનું હતું. મેં ૧૯૬૫માં વિદ્યાપીઠ છોડેલી. શ્રી યશવંત દોશીએ મને ‘ગ્રંથ'ના પ્રકાશનના કામે જોતરેલો. યાદ આવે છે કે પહેલી વાર હું એમની સાથે પંડિતજી. પાસે ગયેલો. વીસ લાખના અમદાવાદની વસ્તી દોઢ માણસની છે એમ કહેતા નિરંજન ભગતે એક આખા માણસની જગા પંડિતજી માટે ફાળવેલી એ અંગે હું સહમત હતો. એમને મળવાનું થયું તે પહેલાં ‘અધ્યાત્મ-વિચારણા અને ભારતીય તત્ત્વવિજ્ઞાન” એ બે પુસ્તકો વાંચેલાં. બુદ્ધનો ક્ષણ વિશેનો ખ્યાલ એમણે વાતચીત દરમિયાન સમજાવેલો. મળવાનું થાય ત્યારે કંઈ ને કિંઈ મળી આવવાનું પ્રોત્સાહન પણ ખરું. ‘જ્ઞાનગંગોત્રી'માં હિન્દી સાહિત્ય વિશેનો મારો દીર્ધ લેખ એમાણે અંતેવાસી પાસેથી સાંભળેલો. ક્યારેક સામયિક કે છાપાના લેખ પણ એમના કાને પડ્યા હોય. એ ક્યારે ‘સરિતકુંજ'માં છે ને ક્યારે અનેકાન્તવિહારમાં એની મને ખબર રહે ને પસાર થતાં જ મળવા જવાનો અભિલાષ થાય પણ ત્યારે હું બીડી-પાઈપ વગેરે પીતો. પંડિતજી સાવ પાસે બેસાડે ને બરડે હાથ ફેરવી આશીર્વાદ આપે. બીક રહે કે બીડીના વ્યસનની એમને બાતમી મળી જશે. એમણે એકેય વાર