________________ 256 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં મોટે કાજળ લાગ્યો છે તેથી. પતિએ પોતાના મુખની પૂર્ણચંદ્ર જોડે તુલના કરી. પૂર્ણચંદ્રમાં તો કાળો ડાઘ છે તે હિસાબે તેને લાગ્યું કે પોતાના મોઢા પર પણ કાજળનો ડાઘ હશે. એથી તે પાણીથી મોં ધોવા ગઈ. પ્રશ્નોત્તર (ગાથા) किं तुंअइ कडि नहु तुडइ, जहण-भारेण नाभिमंडलयं // 30 // તારી કેડ અને નાભિપ્રદેશ નિતંબના ભારથી તૂટી નથી જતાં તેનું શું કારણ? भंजणभयेण विहिणा रोमावलि थंभयं दिन्नं॥ તે ભાંગી જવાના ભયથી વિધિએ રોમાવલિ રૂપ થાંભલો ટેકા રૂપે આપ્યો છે. પ્રશ્નોત્તર (ગાથા) ઓ મા! મોટા આશ્ચર્યની વાત છે કે વિધુરા (છૂટી) મોતીની માળા રડે છે-આંસુ સારે છે. વિદા કુંચિય વક્તા, વંધ- વિહા વાત્મારા છૂટી એવી તે માળાને સંકેલી લઈને બાંધી દીધી ત્યારે બંધનના ભયથી તે બાલા ડરે છે. સખીઓ પરણી ગઈ અને પોતે હજી પરણી નથી તેથી લગ્નેચ્છ બાલા આંસુ સારે છે. પણ એનું સગપણ થતાં પોતે હવે બંધાઈ જવાની (જવાબદારીઓથી) એવો ભય લાગતાં તે ડરે છે. (અન્યોક્તિ ગણી સમજૂતી આપી છે.) (સંપનવિજયજી-“બાળાના અશ્રુબિંદુ બાળાના કંદમાં મૌક્તિક માળાની માફક શોભવા લાગ્યા અને જ્યારે છુટા પડેલાઓને ગોળ બાંધીને વાળ્યા ત્યારે બાળા પોતે બંધાઈ જશે તેવા ભયથી બીહવા લાગી જવા લાગી.”),