________________ 250 માધવાનલ કામકુંદલા ચોપાઈ કામકુંદલાનો પ્રશ્ન पढमक्खर विण हीइं वास, मज्झक्खर विण नारि उह्लास। अंतक्खर विण लीजइ नाम, बालकनि छइ त्रिणइ काम // 14 // પહેલા અક્ષર વગર હૈયે વસે છે તે. વચલા અક્ષર વગર નારીસ ઉલ્લસિત કરે છે તે. છેલ્લા અક્ષર વગર જેનું નામ લઈએરટીએ તે બાળકને તે ત્રણનું કામ છે - ઇચ્છા છે. માધવનો ઉત્તર રામતિ-રમત (મતિ-બુદ્ધિ જેનો અંતરમાં વાસ છે. રાતિ-રાત. રામ-દશરથના પુત્ર) પ્રશ્નોત્તર (ગાથા) पाइ पाणि, गाइ गीयं, वर कुरंग मारीऊण आणेइ। तिनि महिलाण भणियं : 'नत्थि सरो' उत्तरं देइ॥१५॥ ત્રણ સ્ત્રીઓ એક માણસને કહે છે : (1) પાણી પા; (2) ગીત ગા; (3) ઉત્તમ હરણને મારીને લઈ આવ. ત્રણેને એક જ જવાબ મળે છે : 'નથી સર’: (1) નથી સર. સરોવર નથી તો પાણી કેમ પાઉં? (2) નથી સર. સર=સ્વર, અવાજ નથી તો ગીત કેમ ગાઉં? (3) નથી સર. સર=શર, બાણ. બાણ નથી તો હરણને શાથી હણું? કામકુંદલાનો પ્રશ્ન | (દૂહો). બહુ દિવસઈ પ્રીઉ આવીઉં, મોતી આયાં તેણિ; થણિ કર-કમલે ઝલ્લિયાં, હસિ કરિ નાખ્યાં, કે? ૧દા ઘણા દિવસો બાદ પ્રીતમ ઘેર આવ્યો. તેણે મોતી આગેલાં (તે પ્રિયાને આપ્યાં). કમળ જેવી હથેલીમાં તેણે તે ઝીલ્યાં. પછી હસીને તે નાખી દીધાં. શા કારણે?