________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 231 “સૂધી જેમ મેઘમાળા શોભે, મુક્તાફળથી જેમ દીપ શોભે, સિંહથી જેમ પર્વતગુફા શોભે તેમ મહાદેવી મરુદેવા ગર્ભથી શોભવા લાગ્યાં.” (1-1-251) ગર્ભાવસ્થાનું વાન આગળ ચલાવતાં કવિ કહે છે : “શરદઋતુથી જેમ મેઘમાળા પાંડવણી થાય તેમ ગર્ભના પ્રભાવથી તે પાંડવણ બન્યાં.” (1-1-252) કવિ આગળ વધતાં કહે છે : "પ્રાત:કાળે વિદ્વાનની બુદ્ધિ જેમ વૃદ્ધિ પામે, ગ્રીષ્મઋતુમાં સમુદ્રની વેલ જેમાં વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી મદેવની લાવણ્યલમી વૃદ્ધિ પામવા લાગી.” (1-2-257) આમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં કવિત્વ ભરપૂર છે. વિષયનો વ્યાપ અને કાવ્યત્વની સમૃદ્ધિ આ કૃતિને મહાકાવ્ય ધરાવે છે અને તેના રચયિતાને મહાકવિ સિદ્ધ કરે છે. ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિતના દશમા પર્વના બે વિભાગો અંતિહાસિક દષ્ટિએ અત્યંત ઉપયોગી છે. એક તો કુમારપાળ રાજાનું ભવિષ્યકથનરૂપ આલેખેલું ચરિત્ર અને હેમચંદ્રાચાર્ય આ ગ્રંથની રચેલી અંત્યપ્રશસ્તિ. આ પર્વમાં પાટણનું, કુમારપાળનું, તેના રાજ્યવિસ્તારનું, કુમારપાળે પાટણમાં દિન પ્રતિમાની સ્ફટિકમય પ્રાસાદમાં સ્થાપના કરી તેનું તથા બીજી અનેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજ્ય વિસ્તારનું વર્ણન કરતાં તે વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે - “તે રાજા ઉત્તર દિશામાં તુરુષ સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિંગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે.” (18) દશમા પર્વમાં શ્રી હેમચંદ્રાચાર્ય સાથેના મેળાપ માટે નીચે મુજબ જણાવવામાં આવ્યું છે. “એક વખતે વજશાખા અને ચાંદુકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. આચાર્ય જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હતા ત્યાં તેમને વંદના કરવા માટે પોતાના શ્રાવક મંત્રીઓ સાથે તે રાજા આવશે. તત્વને નહિ જાગવા છતાં પણ શુદ્ધભાવથી આચાર્યને વંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમક્તિપૂર્વક અણુવ્રત સ્વીકારશે. અને પછી સારી રીતે બોધ પ્રાપ્ત કરીને રાજા શ્રાવકના આચારનો પારગામી થશે.' (19) આ ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે એવી ખૂબી દર્શાવી છે કે જેથી સર્વ સિદ્ધાંતનું