________________ ‘ઉપદેશ-પદીનાં બુદ્ધિચાતુર્યનાં કથાનો જે કાર્ય દુ:ખ ભોગવી-ઉઠાવી પાર પાડી શકાય તે કાર્ય આ પ્રકારની બુદિ પાર પાડે છે. આ બુદ્ધિનાં ઉદાહરણરૂપ નિમિત્ત, અર્થશાસ્ત્ર, લેખન, ગણિત, પ, અશ્વ, ગર્દભ, લક્ષણ, ગ્રથિ, ઔષધ, ગણિકા, રથિકા, શીતસાડી, છાપરાથી ગળતું જળ, ગાય-બળદ-ઘોડ-વૃક્ષાદિથી પતન એમ 14 ઉદાહરણો આપીને વનચિકી બુદ્ધિ એટલે શું તે સ્પષ્ટ કર્યું છે. આ દષ્ટાંતોથી સ્પષ્ટ થાય છે કે જે બાબત માગસ સામી વ્યક્તિની પાસેથી મનધાર્યું કાર્ય સિદ્ધ કરી શકે છે તે વ્યક્તિની બુદ્ધિ વિનાયકી પ્રકારની છે. શાસ્ત્રાદિની પરિપકવ અને સાચી સમજ જે ધરાવે છે તે બુદ્ધિ પણ વનયિકી પ્રકારની છે. નિમિત્ત-વારમાં સિધ્ધપુત્રના બે શિણોનું કથાનક છે. વનમાં નીકળેલા આ બે શિખોમાંથી એક શિખ વિનચિકી બુદ્ધિને કારણે પદાર્થના નિરીક્ષણને આધારે અનુમાન કરી શકે છે કે નીચે પડેલાં પદચિહન હાથણીનાં છે, તે કાળી છે, તેના પર આરૂઢ વ્યક્તિમાં એક નર અને એક નારી છે, નારી છે તે પૂરા માસનો ગર્ભ ધારણ કરવાવાળી છે અને તેને પુત્ર થશે. “વસુદેવ-હિંડી'માં ગંધર્વદત્તા-લંભકમાં આવતી ચારુદત્તની આત્મકથામાં આ પ્રકારનું કથાનક મળે છે. બાહ્ય પદાર્થોની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને બનેલી ઘટનાના તાણાવાણા મેળવવા, આજની આપણી રહસ્યકથાનું મુખ લક્ષાગ છે. પ્રાચીન-મધ્યકાલીન કથાસાહિત્યમાં પણ આ પ્રકારની કથાઓ અસ્તિત્વમાં હતી અને એ પ્રકારને ‘મણિકુલ્યા” તરીકે ઓળખાવવામાં આવ્યો અર્થશાસ્ત્રદ્વારમાં કલ્પક મંત્રીનું દષ્ટાંત આપ્યું છે, તેનો સંબંધ શ્રેણિક, ઉદાયી, નંદ વગેરે રાજાઓ અને તેના મંત્રી કલ્પક, શ્રીયક, શકટાલ વગેરે સાથે છે. રાજા શતાનીક, મૃગાવતી વગેરેની કથા પાગ આ પાત્રો સાથે સંકળાઈ છે. કથાસરિત્સાગર’માં શતાનીક, મૃગાવતી, ઉદયન, વરરુચિ વગેરેની જ કથાઓ છે તેનાં જનીકૃત પ્રાકૃત ભાષાન્તરગત કથાન્તરો અહીં મળે છે, તે આ કથાઓના સામ્યમૂલક અભ્યાસની ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. લેખધારમાં રમતિયાળ રાજકુમારોને ભણાવવા માટે ગુરુ રાજકુમારોની, 4. વસુદેવ હિંદી ભાષાતર ડૉ. ભોગીલાલ સાંડેસરા, બીજી આવૃતિ, પૃ. 215, 217. 5. મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય, હસુ યાજ્ઞીક, 1988. પૃ. 22.