________________ અથત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 221 છે. શૌચ કરતાં કાચંડાને ગુમ થયેલો જોતાં એ કાચંડો મળવારે થઈ પેટમાં પેસી ગયો છે એવી શંકાથી પિડાતા વણિકને વૈદ્ય લાક્ષારસથી રંગેલો એક કચડો ઘડામાં નાખી રેચથી ઝાડા કરાવી શંકામુક્ત કરે છે તે કથાનક સહ્યાદ્વારમાં આપ્યું છે. કાકલારમાં આ નગરમાં કાગડા કેટલા-એવી બિરબલસંખ્યાનું પૂર્વજ કથાનક છે. સંખ્યામાં વૃદ્ધિ થાય તો નવા બહારગામના આવ્યા, ઘટાડો થાય તો બહારગામ ચાલ્યા ગયા એવો ચતુરાઈભર્યો ઉકેલ કાકારના કથાનકમાં છે. ઉચ્ચારવારમાં એક સ્ત્રી પર બે પુરુષ દાવો કરતા હોય ને સ્ત્રી પતિને છોડી ધૂર્તને પતિ તરીકે સ્વીકારવા ઉત્સુક હોય તેવી પરિસ્થિતિના નાયનું ચાતુર્ય છે. ત્રણેને રેચ આપી જે બેના મળના રંગાદિમાં સમાનતા છે તે સમાન ખોરાક સાથે ખાધેલો એવાં વાસ્તવિક પતિપત્ની છે, એવો નાય તોળવામાં આવ્યો છે. આ કથાનકની પણ લાંબી પરંપરા છે. ગજદ્વારમાં નાવને આધારે હાથીને તોળવાની યુક્તિનું કથાનક છે. ધયાણદ્વારમાં રાણીને વાછૂટ કરતી સાંભળી ગયેલા મશ્કરાની વાત છે. પોતાની આબરૂ ઢાંકવા રાણીએ મશ્કરાને દેશવટો આપ્યો. એ જોડાનો હાર લઈ રાણીની વિદાય લેવા ગયો. રાણીએ કારણ પૂછતાં બોલ્યો “તમારી કીર્તિની પ્રસિદ્ધિ માટે દેશવિદેશ ફરવા જોડા તો જોઈએને ?' રાણી સમજી ગઈ કે આ દેશવટો પામશે તો બધે જ આબરૂના ધજાગરા બાંધશે. આથી રાણીએ સજા રદ કરાવી. સ્તંભદ્વારમાં તળાવમાં ઊતર્યાવગર પાણી વચ્ચેના થાંભલાને દોરીથી બાંધવાની યુકિતનું કથાનક છે. સુલ્લકારમાં આજની દષ્ટિએ સુચિનો ભંગ લાગે એવું કથાનક છે. આ રીતે માર્ગદ્વારમાં સ્ત્રીચરિત્રનું કથાનક મળે છે. સ્ત્રીદ્વાર પણ એવું જ કથાનક આપે છે. બુદ્ધિનો બીજો પ્રકાર વનચિકી જગાવ્યો છે અને તેનાં લક્ષણ અને વિવરણમાં દર્શાવ્યું છે દુ:ખે પાર પાડી શકાય તેવું ભારી કાર્ય પાર પાડવા સમર્થ, લોકરૂઢિથી ધર્મ, અર્થ અને કામને ઉપાર્જનના ઉપાય બતાવનાર સૂત્ર અને તેની વ્યાખ્યા રૂપ અર્થ એટલે વિચાર અથવા સાર તેને ગ્રહણ કરનારી બુદ્ધિ, આ લોક અને પરલોકના ફળને આપનારી, વિનયથી ઉત્પન્ન થયેલી એવી તે, વંચિકી બુદ્ધિ કહેવાય.' અહીં ‘વિનય'નો અર્થ Power to judge છે. અને તેમાં માત્ર કનેહની વાત નથી પરંતુ સામર્થનો સ્વીકાર છે. 3. એજ ન. પૃ. 64