________________ 216 ઉપદેશ-પદ'નાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો સદી સુધીનાં કથાનકો સોમદેવવિરચિત-સંપાદિત કથાસરિત્સાગર'માં સચવાયાં છે. રામકથા, કૃષ્ણકથા અને મહાભારતકથાની જેમ સંસ્કૃત ભાષામાં બ્રાહ્માગધારાની પરંપરા ચાલી, પાલિભાષામાં બોળધારાની પરંપરા ચાલી અને પ્રાકૃત ભાષામાં જેનધારાની પરંપરા ચાલી, તેમ ઉદયન-વાસવદત્તા જેવી કથાઓ અને મંત્રીચાતુ તથા અન્ય પ્રકારની કથાઓની પણ સમાન પરંપરા આ ત્રણે ભાષાઓ અને ધારાઓમાં છે. એ દષ્ટિએ પણ ભારતીય કથાસાહિત્યની સર્વસામાન્ય કથાસાહિત્યની પરંપરાનું વાસ્તવિક ચિત્ર મેળવવું હોય તો તે માટે જરૂરી એવો પ્રત્યેક મહત્વની કથાની ત્રણ ધારાઓનો સામ્યમૂલક અભ્યાસ ઉપયોગી બને તેમ છે. જૈનધારાના આગમાદિ સાહિત્ય અને ઉદેશપદ જેવા કથાસંગ્રહો ભારતીય કથાસાહિત્યમાં પ્રચલિત કથાનકોના સમયનિર્ણય માટે પણ ઊંચું અભ્યાસમૂલ્ય ધરાવે છે, કેમકે, જેનધારામાં હસ્તપ્રતની જાળવણીનું વિકસિત ને પ્રમાણમાં વૈજ્ઞાનિક સમજસૂઝભર્યું વ્યવસ્થાતંત્ર ગોઠવાયેલું હોઈ હસ્તપ્રતને આધારે પાગ કઈ કથા કેટલી પ્રાચીન છે તેનો અંદાજ બાંધી શકાય છે. એ રીતે આ પ્રાકૃતિકથાઓ આપણા પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસના અંધારાને પણ ઓગાળવામાં યત્કિંચિત્ ઉપયોગી બની શકે છે અને વિવિધ ખેલ, રમત, રજૂઆતની કલાઓ, વનસ્પતિ, ઔષધો, પ્રદેશનામ, જાતિઓ, યંત્રો, વાદ્યો વગેરેના વિવિધ સંદર્ભના ઉલ્લેખોને આધારે વહી ગયેલા કાળના ભારતીય સમાજનું ચિત્ર આંકવામાં પણ અભ્યાસીને અખૂટ સામગ્રી પૂરી પાડે છે. તે તરફ પણ આપણું લક્ષ પ્રમાણમાં ઘણું ઓછું કે નહીંવત. ગયું છે. ‘ઉપદેશપદ'માં જે ચાર પ્રકારની બુદ્ધિ દર્શાવી છે તેમાં પ્રથમ પ્રકાર ત્યાતિની બુદ્ધિ છે. એ બુદ્ધિના પ્રકારનું વિવરણ અને લક્ષણ દર્શાવતાં જણાવાયું છે; “પહેલાં કદી ન જોયેલ, ન સાંભળેલ, ન વિચારેલ પદાર્થને તે જ ક્ષણે સાચોસાચ જાણનાર અવ્યાહત ફલનો યોગ કરાવી આપનાર બુદ્ધિ, તે ત્યાતિકી બુદ્ધિ કહેવાય.” આ લક્ષણ પર વિવરણ કરતાં જણાવવામાં આવ્યું છે કે જે પદાર્થ અગાઉ કયારેય જોયો ન હોય તેમાં છતાં એવા અદષ્ટ પદાર્થને જોતાં જ એની ઉત્પત્તિને બુદ્ધિની જે શક્તિ 2. એજન પૃ. 63