________________ 176 આજનું શિક્ષણ એ પ્રજાસત્તાક રાજ્યો અનર્થ છે પ્રક્રિયાના વિવિધ તબક્કા પર પણ આ સ્તરીકરણની અસર પડી છે. જેને એક પ્રકારનું વર્ક કલ્ચર' કહીએ તેના પર પણ સામાજિક સ્તરીકરણના આંતર-વ્યવહારની છાયા પડ્યા વિના રહેતી નથી. આ પ્રકારની સાંસ્કારિક છાપની અસર નીચે ઉછરતા યુવાનો પણ આ સ્તરીકરણના સંસ્કારને જ સ્વીકારે છે અને એમની વૃત્તિ અને વલણ પણ આ રીતે જ ઘડાય છે. આથી સ્તરીકરણની છાપવાળી શિક્ષણપ્રથાએ વર્ક કલ્ચરની અવગણના કરી છે અને આ વ્યવસ્થામાંથી ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓ પણ વર્ક કલ્ચરની ઉપેક્ષા કરતા જ રહ્યા છે. શિક્ષણની નવી નીતિએ સામાજિક અને રાજકીય સંસ્થાની કરવટ બદલવાની વાત પર ભાર મૂક્યો છે. આઠમી પંચવર્ષીય યોજના તો સામાજિક પરિવર્તન (Social Transformation) પર ભાર મૂકે છે. પણ સામાજિક પરિવર્તન એ સામાજિક પરિપ્રેક્ષ્યમાં જ થઈ શકે. સામાજિક પરિપ્રેક્ષ્યમાં સામાન્ય માણસના વર્તન, વૃત્તિ, ટેવ વગેરેમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આમ કરવામાં શિક્ષણ કાર્યરત થવું જોઈએ. મધ્યમ અને ઉપલા વર્ગને અનુકુળ થતા શિક્ષણ માળખામાં ફેરફારની જરૂર છે. હાલના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં પણ એ જ ઉજળિયાત વર્ગની છાપ ઉપસતતી રહી છે. આથી વ્યવસાથલણી પ્રવાહની ઉપયોગીતા જણાતી નથી. જે લિબરલ એજ્યુકેશનમાં ફાવી શકે નહીં તેવા ‘પ આઉટ' મનોવૃત્તિવાળા વ્યવસાયી અભ્યાસક્રમમાં જોડાય તેવી જે સમજ હાલ પ્રવર્તે છે તે જૂના વલણોના વળગણની સાક્ષી પૂરે છે. વિઘાથીઓ માટે કામ અને અભ્યાસ આ બંને જુદા નથી. શાળાએ આ બંનેના જુદા વ્યવહાર દર્શાવ્યા છે. જે કામ કરે તે શાળામાં ન જઈ શકે અને જે શાળામાં જાય છે તેને કામ કરવાનું રહેતું નથી. જીવન વ્યવહારનો આ એક મોટો બાઘાત આજ સુધી શિક્ષણ સંસ્થાએ પોણો નવા સમાજમાં નિમ્ન સ્તરના તેમજ આદિવાસી સમાજ માટે શિક્ષણની શી ભૂમિકા છે એ નકકી કરવાનો સમય પાકી ગયો છે. સામાજિક અને . આર્થિક સમાનતા ઉપરાંતત ભૌગોલિક સમાનતાનો પણ શિક્ષણ વ્યવસ્થાએ વિચાર કરવો પડશે. જે વસતી સ્થળાંતર કરી શકતી નથી એ વસતીને શિક્ષણ સંસ્થાનો લાભ શી રીતે આપી શકાય? આ વસતીને એમના મૂળ સંસ્કારમાંથી ઉખેડી નાખ્યા સિવાય ક્રમે ક્રમે આધુનિક પરિવર્તનના પ્રવાહમાં શી રીતે લાવી શકાય? એવા કાર્યક્રમ વિષે શિક્ષણ સંસ્થા સિવાય અન્ય