SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક શિક્ષણની આવશ્યકતા 159 છતાં આ રંજક સાધનો બાળકોના ચિત્તનો કબજો મેળવે છે. એટલે માબાપોએ થોડીક અગવડ વેઠીને પણ પોતાનાં બાળકોના શિક્ષણમાં રસ લેવો જોઈએ અને પોતાની જાતને એમાં સંડોવવી જોઈએ. બાળ-માનસનું સંશોધન આપણને ટકોરે છે કે માબાપોએ આરંભેલો સહકાર બહુ વહેલો છે એમ માનવાની વગીરે જરૂર નથી. માબાપોએ જ બાળકોના ધર્મશિક્ષણનો સવેળા પ્રારંભ કરી દેવો જોઈએ.” શ્રી પેટનના મનમાં ભલે ખ્રિસ્તી ધર્મરક્ષણનો ભાવ ભરેલો હોય કેમકે ઈંગ્લેન્ડ અધિકાંશે એક ખ્રિસ્તીધર્મી દેશ છે, પણ તો યે બીજા ધર્મો સાથે વિચારવિનિમય કરવાની તેમણે તૈયારી દાખવી છે. પણ એ વાતને બાજુ રાખીએ અને શિક્ષણ પૂરું કરી રહેલી તણ પેઢીને કલ્યાણકારી જીવનમૂલ્યોનું શિક્ષણ પહોંચતું હોતું નથી એ હકીકતની જ માવજત કરીએ તો ઘણું છે. જીવન-મૂલ્યો તારવી આપનારું વ્યાપક ધર્મશિક્ષણ એ જ એનો ઉપાય છે, અહીં અને સર્વત્ર.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy