________________ 143 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સમજી એમની સાથે સંપૂર્ણ સમભાવ કેળવે. આદર્શ શિક્ષકમાં, સેવા અને સ્વાર્થહિતતા, ધીરજ અને ખંત, ચોકસાઈ અને ચીવટ આદિ ગુણોનો સમન્વય થયેલો હોવો જોઈએ. એનામાં બુદ્ધિની સાથે સહયતા હોવી પણ આવશ્યક છે. એક વર્ગની વાત છે. શિક્ષક "મીઠા મધુ ને મીઠા મેહુલા'ની કાવ્યપંક્તિ વર્ગમાં સમાવી રહ્યા હતા. એક ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થિની બધું સમજી પણ “એથી મીઠી તે મોરી માત " એ એને ન સમજાયું એટલે શિક્ષકે કહ્યું કે જે વિદ્યાર્થિનીને આટલી સરળ વાત સમજાતી નથી એ આ વર્ગમાં રહેવાને લાયક જ નથી. સદભાગે શાળાના મુખ્ય શિક્ષિકા સમજુ હતાં, સહૃદયી હતાં. એમણે વિદ્યાર્થિની પાસે જઈ પૂછયું, ‘કહે દીકરી, તારે મા તો છે ને?' છોકરી જવાબ આપે એ પહેલાં એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. કારાગ, આજ પહેલાં એને દીકરી કહીને કોઈએ બોલાવી નહોતી. એનો બાપ દારૂડ્યિો હતો અને સાવકી મા રખડેલ હતી. પોતાનાં પાંચ પાંચ સાવકો ભાઈબહેનોની સંભાળ રાખીને તે બધું ઘરકામ પતાવીને નિશાળે આવતી. આ પાગ સાવકીમાથી સહન નહોતું થતું. આ બાળકીને એથી મીઠી તે મોરી માત’ વાળી વાત ન સમજાય તે સ્વાભાવિક હતું. શિક્ષક-શિષ્યના સંબંધની વાત કરતાં શિક્ષાગમાં, શિક્ષણતંત્રમાં, લોકશાહીનો પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. વિદ્યાર્થીઓને શાળાના સંચાલનમાં, ઇતર પ્રવૃત્તિઓના સંયોજનમાં, શિસ્તપાલનના કામમાં, સારો એવો ભાગ ભજવવા દેવો જોઈએ, એમાં તો મતભેદ ન હોઈ શકે. પણ કોઠારે-કમિશનનું એક સૂચન એ પણ છે કે પાઠ્યક્રમના ઘડતર કે પરિવર્તનમાં પણ વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવાય એ અંગે વિચારણા થવી જોઈએ. આ એક અતિ વિવાદાસ્પદ મુદો છે, કારણ કે પાઠયક્રમના ઘડતરમાં વિદ્યાર્થીઓની સલાહ લેવાથી શિક્ષણમાં શનિને બદલે અરાજકતા જ છવાઈ જાય એવો ભય અસ્થાને નહિ ગણાય. પાકમ-ધડતર એ વિદ્વાનો અને વિષયના તજજ્ઞોનું, ઊંડું જ્ઞાન અને બહોળો એનુભવ માગી લે એવું કામ છે. એટલે એમાં વિદ્યાર્થીઓને તો શું, પણ ઉગતા કે નવા શિક્ષકોને પાગ એકદમ સ્થાન આપવા બાબત ઉતાવળો નિર્ણય ન લેવાય એ જોવું રહ્યું. આજકાલ ઘણાં પાલકો પોતાના બાળકને નિશાળમાં મૂકવા માત્રથી જે પોતાની જવાબદારી પૂરી થાય છે એમ માનવાની ગંભીર ભૂલ કરતાં હોય છેકોઇક વખત શિક્ષકને સારું લગાડવા માટે એમ કહે છે કે “આજથી