SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 136 અમૃત મહોત્સવ સ્મૃતિ ર જેમનું સ્વારથ પ્રતિકૂળ રહેતું હોય, વૃદ્ધાવસ્થાને લીધે કાર્યશીલ ન રહી શકતા હોય અને પરિણામે સમય આપી શકતા ન હોય તેમણે પણ ખસી જવું જોઈએ. ઉપરાંત, જૂના કાર્યકરોએ નવા કાર્યકરોની શ્રેણી પણ તૈયાર કરવી જોઈએ. અહીં જે કાર્યકરોની વાત મેં કરી છે તે સ્વૈચ્છિક સેવાઓ આપનારા વિશેની છે, પગારદાર વ્યક્તિઓની નથી. સેવાભાવી હોદેદારો કે સમિતિ સભ્યોએ સંસ્થાનો લાભ પોતાના સંગાસંબંધીઓને આપવો કે અપાવવો ના જોઈએ અને ખુદ પોતાને પણ સીધો યા આડકતરો લાભ ન થવો જોઈએ. આવો લાભ મોટેભાગે મૂડી રોકાણ દ્વારા અપાવાતો હોય છે. આજે ઘણી વખત આવી જાહેર સંસ્થાઓમાં એવું બને છે કે જમા થયેલી રકમનો ઉપયોગ ટ્રસ્ટીઓ કે અન્ય રથાપિત હિતો પોતા માટે કરતા હોય છે. આવો કામચલાઉ લાભ લેવાનો અધિકાર પણ સેવાભાવી ટ્રસ્ટીઓને નથી. એવું પણ બને છે કે ટ્રસ્ટીઓ એવી બેંકોમાં મૂડીરોકાણ કરે છે જેનો આડકતરો લાભ ટ્રસ્ટીને મળતો હોય. આવી પ્રવૃત્તિ' નહેર સંસ્થા માટે ખતરારૂપ પણ નીવડવાની શક્યતા હોય છે. એવું પણ બને છે કે એક જ વ્યક્તિ અનેક ટ્રસ્ટમાં ટીપદે હોય અને તે વખતે કોઈ એકાદ ટ્રસ્ટની મિલકત ધારો કે વેચાણ માટે નીકળે ત્યારે મિલકત ખરીદનાર પાસેથી વેચનાર ટ્રસ્ટી પોતાના કોઈ બીજ ટ્રસ્ટ માટે કોનેશન લેતા હોય છે. આ પણ એક પ્રકારની અનૈતિકતા છે, જાહેર સંસ્થાનો લાભ લેવાની અઘટિત મનોવૃતિ છે. ખરેખર તો પૂરા બજાર ભાવે મિલકતનું વેચાણ થવું જોઈએ અને તેના સીધી કે આડકતરી લાભ ન લેવાવા જોઈએ. કોઈના દબાણ હેઠળ કે કોઈની શેહમાં આવ્યા વગર કેવળ સંસ્થાનું હિત જ નજર સામે હોવું જોઈએ. આ અંગે, મારા અનુભવમાં આવેલો એક પ્રસંગ ટાંકવાની લાલચ હું રોકી શકતો નથી. હું એક સંસ્થામાં ટ્રસ્ટબૉર્ડનો પ્રમુખ હતો. રોજની કાર્યવાહી માનનીય મેનેજિંગ ટ્રસ્ટી સંભાળતા હતા. આ ટ્રસ્ટની એક જગાની વેચાણની વાત આવી. મેનેજિંગ ટરટીએ અમુક ભાવે એ સોદો નક્કી કરી દીધો હતો પણ ખરીદનારને થયું કે તેમના પોતાના એક સગા સ્ટબૉર્ડના પ્રમુખના સંબંધી છે અને તેમના દ્વારા પ્રમુખને વાત કરવાથી કદાચ સોદાની રકમમાં રાહત મળે. પરિણામે પેલા ખરીદનારના સગાએ મને વાત કરી. હું પેલા ખરીદનાર ભાઈને મળ્યો. બધી માહિતી મેળવી અને તેની તપાસના
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy