________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 93 આપી છે. શ્લોકસંખ્યા 83 છે. પ્રતિલેખકની પ્રશસ્તિ આ પ્રમાણે છે. इति पादशाह श्री अकब्बर जल्लालुदीन श्री सूर्य सहस्त्रनामाध्यापक श्री शत्रुञ्जयतीर्थ करविमोचनगोवधनिवर्तनाद्यनेक सुकृत विनिमापक महोपाध्याय श्री भानुचन्द्रगणिविरचितं स्व प्रमादाचरणालोचनगर्भितं श्री नाभेयजिनविज्ञप्तिस्वरूपं स्तवनं समाप्तमिति // संवत 1717 वर्षे मागसर वदि 7 शुक्रे महोपाध्याय श्री 5 सिद्धिचन्द्रगणिमिः शोधितं॥ આપણે આ પ્રતિને ટે. એવી સંજ્ઞાથી ઓળખીશું. લેખકની પુષ્પિકા જોતાં બંને પ્રતિઓ ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજીના શિષ્યોએ * અનુક્રમે પંડિત ઉદયચન્દ્રજી ગણી અને ઉપાધ્યાય સિદ્ધિચન્દ્રજી ગાણીએ લખી છે. બંને પ્રતિના લેખન વચ્ચેનું અંતર 40 વર્ષનું છે. 1717 વર્ષની પ્રતિમાં મદોપાધ્યાય શ્રી પૂ શ્રી સિદ્ધિવામિ: શTધતા લખ્યું છે, પણ લેખનશૈલી અને અક્ષરોના મરોડ જોતાં આ પ્રતિના લેખક સ્વયં ઉપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રગણિ છે. એટલું જ નહિ, કિન્તુ ૧૬૭૭ની પ્રતની શ્લોકસંખ્યા કરતાં જે 20 શ્લોકની વૃદ્ધિ છે. પાઠાંતરો આપ્યા છે, તેમાં પણ ઉપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રજીની અસર છે. અને ખાસ તો છેલ્લે શ્રી મનુવવવવ રવર્તી પદથી શરૂ થતા જે બે શ્લોક છે તે તો ઉપાધ્યાયશ્રી સિદ્ધિચન્દ્ર ગણિએ જ રચેલા છે એ સ્પષ્ટ જ છે. રચનાની દષ્ટિએ ૧૬૭૭ની મા. પ્રતિમાં હૃદયગત ભાવો સાદી સરળ શૈલીમાં નિરૂપાયા છે. જયારે ૧૭૧૭ની સે. પ્રતિમાં એ જ ભાવો - એ બ્લોકને નવાં જ રૂપરંગમાં સંસ્કારીને, અલંકારીને રજૂ કર્યા છે. એક પ્રશ્ન થાય છે: મા. પ્રતિમાં -- प्रभो मयाऽकब्बर नामधेयश्रीमत् सुरत्राणबलेन साकम्। समेत्य कश्मीर भुवं स्वकीयं कृतं न कृत्यं स्मरणोचितं यत्॥ // 56 // કાશ્મીરમાં બનેલી શત્રુંજય-કરમોચન જેવી મહત્ત્વની ઘટનાનો અહીં ઉલ્લેખ નથી જણાતો. એ ઘટના તો આનંદદાયિની છે. જ્યારે કૃતં કૃત્યં મળવિત થતું - એ પંક્તિથી તો કોઈક એવા કાર્યનો સંકેત જણાય છે કે જે યાદગાર ન હોય. તો આ કૃત્ય કર્યું હશે? જ્યારે ટે. પ્રતિમાં– Iીસ્ટ્રેશડચથ જૈન (નયન) - भिधं सरो मानसवद् विशालम् कुतूहली तत्रकुतूहलार्थं शाहीर्गतस्तेनगतं मयाऽपि // 50 //