SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 1 13. उपाध्याय श्री भानुचन्द्र गणि विरचितम् नाभेयजिन विज्ञप्तिस्वरूपं स्तवनम् / - પન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયગણિ સંસ્કૃત સાહિત્યમાં પરમાત્માને કેન્દ્રમાં રાખીને રચાયેલાં સ્તવન, સ્તુતિ અને સ્તોત્રના પ્રકાર તમામ બ્રાહ્મણ-શ્રમણ પરંપરામાં ખૂબ જ ખેડાયેલા છે. તેમાં પણ આત્મનિંદાગર્ભિત સ્તોત્ર-સ્તવન ઘણી વિપુલ સંખ્યામાં મળે છે. આ પૈકીનાં ઘણાં સૌભાગ્યવંતા સ્તોત્ર અનેક ભક્તોને કંઠે અને હૃદય આજે પણ રમે છે. જેન પરંપરામાં એવાં બે સ્તોત્ર આજે પણ બહુ જાણીતાં છે: એક, પરમાહિત કુમારપાળ નૃપતિ રચિત “આત્મનિન્દાગર્ભિત દ્રાવિંશિકા' અને બીજું, આચાર્યશ્રી રત્નાકરસૂરિ નિર્મિત ‘રત્નાકર પશ્ચવિંશતિકા' આ બે સ્તોત્રની જેમ જ અહીં પ્રસ્તુત છે તે બંને સ્તોત્રો પણ એવા જ પ્રકારનાં છે. આ સ્તોત્રોની વિશેષતા એ છે કે આ બંનેના રચયિતા એક જ છે. સ્તોત્રનો વિષે પણ એક છે. પરંતુ એની શૈલીમાં ભિન્નતા છે અને શ્લોક-સંખ્યામાં તફાવત છે. અને તેથી, બંને સ્વતંત્ર રીતે અભ્યાસના વિષય છે. આ બંને સ્તોત્રના કર્તાનું નામ છે ઉપાધ્યાય ભાનુચન્દ્રગણિ. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ગુરુભાઈ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય સૂચન્દ્ર ઉપાધ્યાયના શિષ્ય છે. તેમના શિષ્યનું નામ શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી છે. આ બંને, ગુરુશિષ્યની જોડી, ન્યાય અને સાહિત્યમાં ખૂબ પ્રસિદ્ધ છે. બંનેએ સાથે મળીને પી ટી 1 થી લઈ અનેક ગ્રંથોની રચના કરી છે. એકલા ઉપાધ્યાય ભાનુચન્દ્ર ગણીએ વસંતરાજેશકુન ટીકા, સારસ્વતવૃત્તિ, કાવ્યપ્રકાશવૃત્તિ, વિવેકવિલાસવૃત્તિની રચના કરી છે. - જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અકબર બાદશાહના
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy