________________
: ૧૦૧
પં. શ્રી પ્રભુદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા ભારતીય મહાસંસ્કૃતિના પ્રતીક પંડિતવર્ય પ્રભુદાસભાઈને હાર્દિક અભિનંદન
સંધ કાઢવા, ઉજમણાં કરવા, વરઘેડા, જાહેર ઉત્સવે, ગુરુના તથા સંઘવીના સામૈયા વિગેરે પણ જાહેર છ આવશ્યકમય અમુક અમુક પ્રધાન આવશ્યક હોય છે. ) એટલે વે. . જૈન સંઘમાં પૂર્વાપરથી ચાલી આવતી કોઈપણ પ્રામાણિક ક્રિયા છે આવશ્યકની મર્યાદામાંની જ હોય છે. માટે ગુરુગમથી જાણ્યા વિના કોઈપણ પ્રવૃત્તિ ઉપર ટીકા કરવામાં વિરાધક ભાવ થવાને ખાસ સંભવ છે. વિરાધક ભાવ એટલે સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનવું. તે પણ “આ પ્રવૃત્તિઓ જતિએ ચલાવી છે, અમુક વૈષ્ણના અનુકરણ રૂપ છે, બૌદ્ધોના અનુકરણ રૂપ છે. વૈદિક લોકેના અનુકરણ રૂપ છે. સ્વાથી આચાર્યોએ ચલાવી છે” એવું એવું બોલતાં પહેલાં સંપૂર્ણ વિચાર કરે જઈએ. નહીં તે પગલે પગલે સ્કૂલના અને મહાન આશાતના થવાનો સંભવ છે. માટે ડાહ્યા. સમજુ અને જૈન ધર્મની મહત્તા સમજનાર વિવેકીઓએ. એવે વિચાર પણ લાવતાં પહેલાં બહુ સાવચેત રહેવું.
લાંબી વિધિ છે; કંટાળો આવે છે, વિધિમાં પ્રક્ષેપ સૂત્રો છે, અનેક મત- | મતાન્તરે છે. નકામે વખત જાય છે, રસ નથી પડત, મજા નથી આવતી, સમજાતું આ નથી, લાયકાત આવ્યે કરીશું, બાર વ્રત ધારીને કરવાની એ ક્રિયા છે, તેના મૂળ ઉત્પાદક તીર્થંકર પરમાત્મા કે ગણધર ભગવંતા છે? કે કઈ બીજા? એ નિશ્ચિત્ત નથી. આ જમાનામાં આ વખત ગાળો એ નકામું છે.”
આવાં આવાં ન્હાનાં કાઢીને પ્રતિક્રમણે જાતે તે ન કરે, પરંતુ બીજા કરનારને રેકે, એટલું જ નહીં, પરંતુ આવી મહાન ભવ્ય અને સર્વ કલ્યાણકર જૈન ધર્મની મૂળભૂત વસ્તુ તરફ કાદવ ઉડાડે, તેની અપ્રતિષ્ઠા કરે, તેને ઉતારી પાડવા પ્રયાસ કરે, તે આરાધનાઓની અવજ્ઞા–અશાતના કરે, યેનકેન પ્રકારે તેમાં અંતરાય પડે તેવા પયુષણું વ્યાખ્યાનમાળા જેવા આડકતરા કાર્યક્રમો ગોઠવી જૈનસંઘના બાળબુદ્ધિના સભ્યોને પ્રતિક્રમણ કલ્પસૂત્ર શ્રવણાદિ કરવા જતાં રોકવા યુક્તિ કરે, આમ નજીવા અને નકામા લાગણી ઉશ્કેરનારા પ્રસંગે યે તેઓને પ્રતિક્રમણ કરતાં ચૂકવી દેવા જેવું આ જગત્માં ઉતરતી કેટીનું (અધમતમ) બીજું કયું કાર્ય હોઈ શકે?
–પં. શ્રી પ્ર. એ. પારેખ
= હિંમતલાલ આર. ઝવેરી :=
માંડવી ચેક કે રાજકેટ.