________________
| અધ્ય
(મંદાક્રાન્તા વૃત્ત)
(૧) જેની મૂર્તિ નિરખી નજરે શાંતતાથી ભરેલી, જેની દષ્ટિ પ્રશમરસના વેગને રે વરેલી; જેણે વાણું વિમળમતિના રંગથી તે વધારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી.
પૂર્વે મુંબઈ નરકપુરી છે એમ કેઈમાનતા'તા, એવા કાળે પ્રથમ પગલાં આપશ્રી ધારતા'તા; જેણે આવી જનગણમહિં ધર્મવૃત્તિ વધારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદન હે અમારી.
જેણે પૂર્વે યતિ જીવનને આચર્યું'તું તથાપિ, સંવેગિની જીવનસરણ જાગતા વેંત થાપી; જેને લાગી પરિગ્રહદશા દેલવાળી અકારી, એવા શ્રીમદ્ મુનિજી ! તમને વંદના હે અમારી.
(૪)
જેણે બે જનગણ બહુ પાઠશાળા સ્થપાવે, જેણે બળે જનગણુ ઘણુ મૂર્તિઓને ભરાવે; જેણે બેધ્યે જનગણ કરે કામ કલ્યાણકારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી.
મુંબઈ જેવી નગરીમહિ જે દીસતે હેય ધર્મ, સર્વે માને પુનિત પગલાં આપના એ જ મર્મ જેનું આશીર્વચન સહુને થાય કલ્યાણકારી, એવા શ્રીમદ્ મુનિજી! તમને વંદના હે અમારી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org