SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પાસનાહિંની હસ્ત લિખિત પિથી માંનાં રં ગી ન ચિત્રો આગમપ્રભાકર પૂ. મુનિ શ્રીપુણ્યવિજયજી શ્રી લક્ષ્મણગણિવિરચિત પ્રાકૃત સુપાનાચરિયંની હસ્તલિખિત પ્રાચીન પ્રતિમાંથી પસંદ કરીને છ સુંદરતમ ચિત્રો આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. આ પ્રતિ, પાટણના “શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ” માં ત્યાંના તપાગચ્છીય જૈન સંઘની સમ્મતિથી મૂકાયેલા “તપાગચ્છીય જૈન જ્ઞાનભંડાર” ની છે. આ આખી પોથીમાં શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રમાંના વિવિધ પ્રસંગોને દર્શાવતાં બધાં મળીને ૩૭ ચિત્રો છે, જે પૈકી ૩૧ થી ૩૬ સુધીનાં ચિત્ર પ્રતિના માર્જીનને બાદ કરીને આખા પાનામાં આલેખાયેલાં છે અને બાકીનાં ચિત્રો પાનાના અર્ધા કે ત્રીજા ભાગમાં આલેખાયેલાં છે. દરેક ચિત્રની બાજુમાં ચિત્રનો કમાંક અને પરિચય આપવામાં આવ્યો છે, જેને ક્રમવાર ઉતારો આ ચિત્રપરિચયમાં આપવામાં આવશે. પ્રતિમાંના ૨૦, ૪૩, અને ૩૩૨ એ ત્રણ પાનાં ખોવાઈ જવાને કારણે કે જીર્ણ થવાને કારણે નવાં લખાયેલાં છે અને તેમાં ચિત્રો પણ આલેખવામાં આવ્યા છે, જે મૂળ ચિત્રકળાને પહોંચી શકતાં નથી. આ કારણસર પ્રતિમાં કમાંક ૨-૩-૧૫-૧૬ અને ૩૧ એમ પાંચ ચિત્રો નવીન છે, જ્યારે બાકીનાં બધાં જ ચિત્રો પ્રાચીન અને બરાબર સુવ્યવસ્થિત રીતે સચવાયેલાં છે. આખી પ્રતિ લગભગ જીર્ણદશાએ પહોંચવા છતાં તે આજ સુધી જે રીતે સચવાએલી છે એ રીતે સચવાશે તે હજુ પણ બીજી બે-ચાર સદીઓ સુધી પ્રતિને કે ચિત્રોને આંચ આવે તેમ નથી. આ પ્રતિ નંબર ૧૧૦૬૯ છે અને તેની પત્રસંખ્યા ૪૪૩ છે. પ્રતિની લંબાઈપહોળાઈ ૧૧ ૪ કા ઇંચની છે. પાનાની દરેક બાજુ પર બાર લીટીઓ અને દરેક લીટીમાં કર થી ૩૮ અક્ષરો લખેલા છે. પ્રતિની લિપિ સુંદર અને સચિત્ર સુંદર પિોથીમાં શેભે તેવી છે. પ્રતિ વિક્રમ સંવત ૧૪૭૯-૮૦માં લખાયેલી છે. તેના અંતમાં નીચે પ્રમાણે લેખનસમયાદિને સૂચવતી પુપિકા છે: संवत् १४८० वर्षे । शाके १३४५ प्रवत्र्तमाने । ज्येष्ठ वदी १० शुक्र बवकरणें । मेदपाटदेशे । देव कुलवाटके । राजाधिराजराणामोकलविजयराज्ये । श्रीमबृहद्गच्छे । मडाहडीय भट्रारक श्रीहरिभद्रसूरिपरिवारभूषण पं० भावचन्द्रस्य शिष्यलेशेन । मनि। हीराणंदेन लिलिखिरे । नंदे मुनौ युगे चंद्रे १४७९ ज्येष्ठमासे सितेतरे । दशम्यां लेखयामास शुभाय ग्रन्थपुस्तकम् ॥१॥ नद-मुनि-वेद-चंद्रे वर्षे श्रीविकमस्य ज्येष्ठशिते । अलिखत् सुपार्श्वचरितं हीराणदो मुनींद्रोऽयम् ॥ २॥ આ પુમ્પિકામાં એટલું જણાવવામાં આવ્યું છે કે વિ. સં. ૧૪૭૯માં મેદપાટ મેવાડ દેશના દેવકુલવાટક–દેલવાડામાં રાણું શ્રોમેકલના રાજ્યમાં બૃહદગષ્ણાંતર્ગત મહાહડીય આચાર્યશ્રી હરિભદ્રસૂરિના શિષ્ય ભાવચંદ્રના શિષ્ય હીરાણુદે આ પ્રતિ લખી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy