SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ વેલું ત્યાર બાદ ચૌલુક્ય ભીમદેવે તેને પાષાણનું બનાવ્યાને ઉલ્લેખ, ઈતિહાસના પાને સેંધાયું છે. આ સિવાય શત્રુંજય અને બીજા અનેક તીર્થસ્થાને પર કાષ્ટના પ્રાચીન મંદિરે હતાં. ગુજરાતમાં તે પ્રત્યેક મકાનની અંદર, કાછશિલ્પના નાનાં મેટા અલંકરણે મુકવાની સર્વ સામાન્ય પરંપરા પ્રચલિત હતી. પછી ભલે તે સામાન્ય મનુષ્યનું હોય કે ધનાઢ્ય શ્રેષ્ઠિનું મકાન હોય પણ દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે કાષ્ટકલાના અલંકરણે કમાડ, દ્વાર, શાખા સ્તંભે, ભારવટે, ગોખલાઓ, આળીયાં, જાળીઓ, કબાટ અને સામાન્ય ઉપકરણે પલંગ, કેચ, ટેબલ તથા વિરામાસન વગેરેમાં કરાવતા. આજે પણ કેટલાએ શહેર અને ગામડાઓના મકાનમાંથી તેના અવશેષ જોવા મળે છે. પાટણની કાષ્ટકલા સમૃદ્ધિ પાટણ એ પ્રાચીન રાજધાનીનું નગર હેઈ ત્યાંની પ્રજાએ પણ કાષ્ટકલાને સારો એ આવકાર આપ્યો હોવાનું જાણવા મળે છે. કેટલાએ પ્રાચીન મકાનના ઝરૂખાઓ, જાળીએ, કમાડે, ગેખલાઓ, અને નવ ખાનાઓના કબાટેની અદ્વિતીય કલામય કતરણના વિવિધ પ્રતિકે હમણાં સુધી જોવા મળતાં હતાં. હિંદુ અને વહેરાઓના પ્રાચીન મકાનમાંથી આવા ઘણું કાછશિલ્પ મળતાં, જે પુરાણું વસ્તુ વેચનારા દલાલે પાણીના મૂલ્ય વેચાતા લઈ પરદેશ એકલતાં અને હજુ પણ મોકલે છે. વખારને પાડામાં એક શેઠનું મકાન હતું, જે અદ્વિતીય કાષ્ઠકલાની કતરણીવાળું હોવાનું 3. બજેસે પિતાના આર્કી હૈજીકલ સર્વે ઓફ નેધન ગુજરાત” નામના ગ્રંથમાં રજુ કરી તેનું ચિત્ર પણ આપ્યું છે. " આ સિવાય ખારાકેટડીને પાડાના બારોટ કાનજી ઉમેદસીંગજીના મકાનને ઉલ્લેખ આપી તેને પણ ફેટે મુકેલ છે. વિશેષમાં કેટલાક પ્રાચીન હિંદુ મંદિરે પણ કાછશિપથી અલંકૃત પાટણમાં હતાં જેની વિસ્તૃત સમાલોચના કરતાં આ નિબંધનું કલેવર વધી જાય તેમ હોવાથી અહીં આટલે જ ઉલ્લેખ કરી ચલાવશું. કાછશિલ્પકલાને વધુ ઉત્તેજન, પાટણના નશ્રેષિઓ તરફથી સારું એવું મળ્યું હતું. તેઓએ પોતાના મકાનમાં તે તેના અપૂર્વ શિપ કંડાર્યા હતા. તેટલું જ નહિ પણ પિતાના ગૃહમંદિરમાં નિત્ય સેવા કરવાના સ્થાનને અદભૂત કલાકૃતિઓથી શણગારતા. જેનાં અનેક પ્રતિકો આજે પણ ઘણુ ખરા ઘરમાંથી જોવા મળે છે. આથી પણ વિશેષ કાછશિપેની સુંદર કલા તેઓએ મંદિરોમાં અવતારી છે. પાટણમાં જેનાશ્રિત કાછશિલ્પકલાનાં, આવાં કમનીય ફલકે આજે કેટલાએ મંદિરમાં વિદ્યમાન છે. જેને જોતાં કલાપ્રેમી મનુષ્ય મુગ્ધ બની પ્રાચીન કલાકૃતિઓ પ્રત્યે પ્રશંસાના પુષ્પ વેરે છે. આવા વિરલ કાષ્ટકલાના ફલકની થેડીક ઝાંખી અત્રે અહીં રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેનાશ્રિત કાછશિલ - પાટણના મંદિરે પૂર્વકાળમાં મેટે ભાગે કાણના જ બનાવેલા હેવાનું અનુમાન છે. જો કે દિવાલે અને અગાશી પુરતા ભાગે ઈંટ, પથ્થર કે ચુનાના બનાવતા, પરંતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy