SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી પ્રથા શ્રી અમૃતલાલ ત્રિવેદી જેવા નિષ્ણાત સેમપુરા શિલ્પીની દેખરેખ નીચે અંદાજેલી કિંમતમાં હજાર વર્ષ પહેલાની ધાટીનું કામ કરી આપે તે રીતે કારીગરોને તાલીમ આપવામાં આવી. તુટેલા ખંડેને બહુ હિસાબથી બારીકીપૂર્વક મેળવી દેવામાં આવ્યા છે, અને લગભગ બધી જ પ્રતિમાઓ તથા આકૃતિઓને અખંડ રૂપ આપી પત્થરને રંગ ઘાટ જરા પણ જુદે ન પડે એવી મરામત થઈ ગઈ છે. કેટલાક પાટડાએ પણ બદલી નવા નાખવા પડ્યા છે. કેટલાક ખેડે નવા બહાર આવ્યા છે. જે જૂના આકારે મળ્યા છે, તેમાંના કેટલાક મથુરાના શિ૯૫ને મળતા છે. સંશોધકે માટે તે એક નવું પૃષ્ઠ બને છે. આ કાર્ય માટે આજે શિલ્પી પરિવારમાંથી યેગ્યે જ મળી આવ્યા તેઓ ધન્યવાદના અધિકારી બન્યા છે. દેલવાડાની વસ્તીને દૂર ખસેડી મંદિરનું જુમખું ચેગમથી ખુલ્લું મૂકવાને નિર્ણય લેવાય તે તે આવકાર પાત્ર છે. - માનવસંસારની આટલી બધી લીલા નીરખ્યા પછી તેને અમર કરનાર શિલ્પીઓ આજ અનેક વર્ષો પછી આપણા હૃદયમાં ઊર્મિભર્યા સન્માન પામે છે. - દેલવાડાના આ બે જૈન દેવાલયે ભારતવર્ષના સર્વોત્તમ નમૂના ગણાય છે. એ દેવમંદિરે એકલા જૈનસમાજની સંસ્કૃતિ નથી પણ ગુજરાતની અમાપ શક્તિની પ્રતિભા અને પ્રતિષ્ઠાનાં પ્રતીક છે. એને મૂર્તસ્વરૂપ આપવાનું કાર્ય બુદ્ધિનિધાન બે મહાન જેનમંત્રીશ્વરેએ કર્યું છે, એ જેનોને માટે ગૌરવને વિષય છે. Das ૨ E - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy