________________
“અર્ધશતાબ્દીનાયકની જન્મકુંડલી તે તે તેના જીવન દરમ્યાન પૂર્ણ થવા સર્જાયેલાં હોય છે. શનિ એ લાભસ્થાનમાં તત્ત્વજ્ઞાનનો લાભ આપે છે. સાતમે શુક કુંભને છે એટલે મિત્રના ઘરનો છે. પંચમસ્થાનનો માલિક ગુરુ ધન સ્થાનમાં છે. ગુરુ નાનકની કુંડળીમાં પણ તેને જન્મ સિંહરાશિમાં થયેલ જોઈ શકાય છે, અને તે કુંડળીમાં પણ મહારાજ સાહેબની માફક ધનસ્થાનમાં કન્યાને ગુરુ છે. શિવાજી મહારાજનો જન્મ પણ સિંહરાશિમાં થયે હતો.
આ કુંડલીની ખાસ મહત્તા તે એટલા માટે છે કે–તેમાં સૂર્ય ઉચ્ચને છે અને વળી તે જ લગ્નેશ છે, આ સિવાય સુખસ્થાન અને ભાગ્યસ્થાનને માલીક મંગળ, ભાગ્યસ્થાનમાં સ્વગૃહી છે, કન્યા રાશિમાં ગુરુ છે, જ્યારે ગુરુની રાશિ મીનમાં બુધ છે. બુધ એ કન્યા રાશિને માલિક છે, એટલે આ બંને ગ્રહો વચ્ચે પરિવર્તન થતું હોવાના કારણે આ બંને ગ્રહ પણ પરમ ઉચ્ચનું બળ પ્રાપ્ત કરે છે. ગ્રહોના સ્પષ્ટ અંશે વિ. ની માહીતી મારી પાસે નથી, પણ મને લાગે છે કે ચલિત કુંડળીમાં શુક્ર કુંભરાશિમાંથી મીન રાશિમાં જતો હોવો જોઈએ, અને એ રીતે શુક્ર પણ ઉચ્ચને થતું હશે. આ દષ્ટિએ આ કુંડળીમાં સૂર્ય–શુક ઉચ્ચના, મંગળ સ્વગૃહી અને બુધ-ગુરુ પરિવર્તનના કારણે પરમ ઉચ્ચનું બળ પ્રાપ્ત કરે છે.
આ કુંડળીને અભ્યાસ કરતાં તે એક જીવનમુક્ત વ્યક્તિની કુંડળી હોય એવી સમગ્ર રીતે છાપ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org