SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન : ચરિત્રને લોકભોગ્ય અને વાચનક્ષમ બનાવવા યથાશકિત પ્રયાસ કર્યો છે. અને ચરિત્રગત પ્રસંગેના પરિમાર્જન માટે આધાર તરીકે મેં જે જે પુસ્તક, પત્ર, ફાઈલો તથા હસ્તધનો ઉપયોગ કર્યો છે, તેની યાદી સંદર્ભગ્રંથોની સૂચિમાં આપી છે. પરિશિટોમાં ચરિત્રના દેહનરૂપે ઘટનાઓ, કાર્યો અને ચાતુર્માસનાં સ્થળેની સાલવાર યાદી આપી છે. સમયના નિર્ણય અંગે “શ્રી મેહનચરિત્ર સંસ્કૃત કાવ્ય તે ખૂબજ ઉપયોગી થયું. અને પંચાસજી મહારાજે કરેલી ચરિત્ર સંબંધી છે તે આ કાર્યમાં મને એક પગદંડીની ગરજ સારી છે. આ સાથે હું એ પણ નિર્દેશ કરી દઉં કે ચરિત્રનાયકના જીવન સાથે સંકળાચેલી બે બાબત-સમાચારી અને ગુરુપરંપરા વિશે વિભિન્ન પ્યાલા પ્રવર્તે છે, તેનું પષ્ટીકરણ ચરિત્ર તેમજ અન્ય લેખોમાં આવી જતું હોવાથી વાંચકોને તેમાંથી ઘણુંખરૂં જાણવાનું મળી રહેશે, એની મને ખાતરી છે. (૩) આ પછીના વિભાગમાં ચરિત્રનાયકના જીવનને સ્પર્શતા લખ આપવામાં આવ્યા છે. તેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ ઇંગ્લીશ ભાષાના અભ્યાસ પૂર્ણ લેખન સમાવેશ થાય છે. ચરિત્રનાયકના સમાગમમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું, એવા ત્રણ લેખકેના બહુમૂલ્ય લેખ અહિં સાભાર ઉદ્ધત કર્યા છે, તે નીચે મુજબ – લેખકનું શીર્ષક: લેખક : સ્થાન : ૧ શ્રી આત્મારામજી મહારાજ સ્વ.પં. રિદ્વિમુનિજી શ્રી આત્મારામજી જન્મઅને ગણિવર શતાબ્દી સ્મારકગ્રંથ શ્રી મોહનલાલજી મહારાજ. ૨ શ્રી સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રી મેહનલાલ દલીચંદ જૈનયુગ સં. ૧૯૮૫-૬ શ્રીમાન મુનિ મહારાજશ્રી દેસાઈ બી. એ. એલ.એલ.બી. મોહનલાલજી. ૩ મુનિ મહારાજશ્રી શ્રી મોહનલાલ ભગવાનદાસ કમ્પરેટીવ એન્ડ ક્રીટીકલ મેહનલાલજી ઝવેરી, સેલીસીટર સ્ટડી ઑફ મંત્રશાસ્ત્ર ચરિત્રનાયકના જીવનનું સાહિત્યિક પાસું તપાસતાં તેઓશ્રીએ રચેલી પાંચેક પદ્યકૃતિના નમૂના પ્રાપ્ત થયા છે. આ લેખ, ભૂલથી અન્ય વિષયક લેખવિભાગમાં આવી ગયો છે. (૪) આ વિભાગમાં અન્ય વિષયક લેખ-ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં વિભકત છે. હિન્દીલેખ મેળવી આપવામાં શ્રીયુત અગરચંદજી નાહટાનો પ્રયત્ન હું ભૂલી શકું તેમ નથી. તેમણે શરૂઆતથી જ આ માટે આત્મીયતા દર્શાવી છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy