SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મ - 1t T. :૫: ધર્મને શરણે ૨ = થી કામ Iબછાનામાં તરફડતા ધારશી સામે એક નવી દષ્ટિ ધીરે ધીરે ઉઘડતી જતી હતી. જેણે જીવનભર આત્મા, કર્મ કે આલોક પરલોકને વિચાર નહોતો કર્યો, એને આજે રેગ વિચાર કરાવી રહ્યો હતો. કેટલીકવાર બુરાઈ પણ ભલાઈની જન્મદાત્રી બને છે! “મારું કોણ? માતા નહિ, પિતા નહિ, સ્નેહિ નહિ, મારું કઈ નહિ. ધારશીના હદયસાગરમાં આ વિચારે એક વર્તુલ પેદા કર્યું ને પછી તે ઉપરા ઉપરી વલે જન્મવા લાગ્યાં. આત્મા અને દેહની જુદાઈ કર્મોની સારાસારતા, જીવન સફલ કેમ બને, સંસારમાં વ્યાપી રહેલ આ મૃત્યુથી કેમ બચાય, વગેરે વિચારો સ્વયંભૂ પ્રેરણાથી જાગ્રત થયા. આ દર્દમાંથી બચવાને કઈ ઉપાય નહિ હોય, એ વિચારે હૃદય પર કબજો કર્યો. એક વિચાર આવ્યું કે એને અન્ત પામવે, એ પિતાના મૂળ સ્વભાવ પ્રમાણે ધારશી બિછાનામાં તરફડતાં પણ વિચાર કરવા લાગ્યો. થોડી જ વારમાં એને એ વિચારમાં પણ દર્દીને કંઈ સાત્વન મળતું લાગ્યું. એ વેપારી જેટલી ઝીણવટથી આગળ વધ્યો. ઉજજડ થયેલા મુંબઈના સ્નેહિજનમાં ધારશીને વેલશી નામને સ્થાનકમાગી મિત્ર હતે. બિમારીની ખબર પડતાં એ જેવા આવ્યો. ધારશીની વેદના અપાર હતી, ને એ વેદનાથી પણ વધુ વેદના જાગ્રત થયેલી દષ્ટિને સમજવાની હતી. વેલશીએ આવી ધારશીને પાણી પાઈ કુશળ પૂછયા. વેલશી! મને લાગે છે કે હું નહિ બચું! દર્દ વધતું જ જાય છે. ધારશીના શબ્દમાં હજારે વીંછીના ડંખની વેદના હતી. _yકbe જે રૂા . Bઉ Jain Education International Eoc Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy