SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ જ્ઞાનાજલિ જો એકીસાથે વધારે પ્રમાણમાં સેાના-ચાંદીની શાહી તૈયાર કરવી હોય, તે ગુંદરના પાણીને અને વરકને ખરલમાં નાખતાં જવું અને છૂટતાં જવું. પછી સાકરનું પાણી નાખી સા* કરવાને વિધિ ઉપર પ્રમાણે જ સમજવે. ધ્યાન રાખવું કે ખરલ સારા હાવા જોઈએ. જો ઘૂંટતી વખતે ખરલ પાતે ધસાય તેવા હશે તે તેમાંની કાંકરી શાહીમાં ભળતાં શાહી દૂષિત બનશે. હિંગળાક—કાચા હિંગળાક, જે ગાંગડા જેવા હેાય છે અને જેમાંથી વૈદ્યો પાર કાઢે છે, તેને ખરલમાં નાખી તેમાં સાકરનું પાણી નાખી ખૂબ છૂટવા. પછી તેને ઠરવા દઈ તેના ઉપર જે પાળાશ પડતું પાણી હાય તેને બહાર કાઢી નાખવું. ત્યાર બાદ પુનઃ તેમાં સાકરનું પાણી નાખી તેને ખૂબ ધૂંટવે, અને ઠર્યા પછી ઉપર આવેલ પીળાશ પડતા પાણીને પૂર્વવત્ બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશના ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રાખવું કે આ એપાંચ વખત કરવાથી જ નથી થતું, પણ વીસ-પચીસ વખત આ પ્રમાણે હિગળેાકને ધાવાથી શુદ્ધલાલ સુરખ જેવા હિંગળાક થાય છે, અને મેાટા ધાણુ હોય તે તેથી વધારે વખત પણ ધાવા પડે છે. તે શુદ્ધ હિંગળાકમાં સાકરનું પાણી અને ગુ ંદરનું પાણી નાખતાં જવુ અને ઘૂંટતાં જવું. આ વખતે એટલું ધ્યાનમાં રાખવુ કે ગુંદરનું પ્રમાણ વધારે ન થાય, તે માટે વચમાં વચમાં ખાતરી કરતાં રહેવુ, એટલે કે એક પાના ઉપર તે હિંગળાકના આંગળી વડે ટીકા કરી તે પાનાને હવાવાળી જગામાં ( પાણિયારામાં અગર હવાવાળા ઘડામાં એવ ું વાળા મૂકવું. જો તે પાનું ન ચોંટે તે ગુ ંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવુ' અને નખથી ખાતરતાં સહજમાં ઊખડી જાય તે ગુંદર નાખવાની જરૂર છે એમ જાણવું. સાકરનું પાણી એક-બે વખત જ નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલા હિંગળાકતા ઉપયાગ લાલ શાહીરૂપે કરાય છે. હરતાલ—દગડી અને વરગી એ એ પ્રકારની હરિતાલ પૈકી આપણા પુસ્તક-સંશોધનમાં વરગી હિરતાલ ઉપયાગી છે. આને ભાંગતાં વચમાં સાનેરી વરકના જેવી પત્રીએ દેખાય છે માટે તેને વરગી હિરતાલ એ નામથી એળખવામાં આવે છે. આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી. અને તેને જાડા કપડામાં—જેમાંથી ઘણી જ મહેનતે છણી શકાય તેવા કપડામાં-ચાળવી. ત્યાર પછી ફરીથી ખરલમાં નાખી ખૂબ લસેાટવી. પછી તેમાં ગુંદરનુ પાણી નાખતાં જવુ અને ધૂટતાં જવું. ગુંદરને ભાગ વધારે પડતે ન થાય માટે વચમાં વચમાં હિંગળાકતી પેઠે ખાતરી કરતાં રહેવું. સફ્ા—રંગવાને માટે જે સૂકેા સફેદો આવે છે, તેમાં ગુ ંદરનું પાણી નાખી ખૂબ ધૂટવાથી તૈયાર થતાં તેને પુસ્તક-સશેાધન માટે ઉપયોગ કય છે. અષ્ટગંધ-મ`ત્રાક્ષરા લખવા માટે આના ઉપયોગ કરવામાં આવે છે. આમાં—૧. અગર, ૨. તગર, ૩. ગોરોચન, ૪. કસ્તૂરી, ૫. રક્તચંદન, ૬. ચંદન, ૭. સિંદૂર અને ૮. કેસર—, આ આઠ દ્રવ્યાનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ કહેવાય છે. યક્ષક મ—આના ઉપયોગ પણ મત્રા લખવા માટે કરાય છે. ૧. ચંદન, ૨. કેસર, ૩. અગર, ૪. બરાસ, ૫. કસ્તૂરી, ૬. ભરચક કાલ, છ. ગેારાયન, ૮. હિંગળાક, ૯. રત જણી, ૧૦. સેાનાના વર્ક, અને ૧૧. અંબર——આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી બને છે. ઉપર બતાવ્યા પ્રમાણેના વિધિથી તૈયાર થયેલી શાહી હિંગળાક, હરિતાલ, સફેદા આદિને એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy