SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધને [૪૭ થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી દેવી. સુકાયા પછી જ્યારે જરૂર પડે ત્યારે તેમાં માત્ર પાણી નાખવાથી જ તે કામમાં આવી શકશે. સોનેરી-રૂપેરી શાહીથી લખવાનું વિધાન–સોનેરી અગર રૂપેરી શાહીથી લખવાનાં પાનાંઓને કાળા, યૂ, લાલ, જામલી આદિ રંગથી રંગી ઘૂંટવા. પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલ ૧ અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરે લખી તેના ઉપર સોના-ચાંદીની શાહને પીંછી વડે પૂરવી (હરિતાલ–સફેદાના અક્ષરો લીલા હોય ત્યારે જ તેના ઉપર સોનેરી-રૂપેરી શાહી ફેરવવી.) સુકાયા બાદ તે પાનાંને અકીક કે કસોટીના ઘંટા વડે ઘૂંટવાથી તે અક્ષર ઓપ ચડાવેલ સોના-રૂપાના ઘરેણાની માફક તેજવાળા દેખાશે.' પરચૂરણ પુસ્તકના પ્રકારો–ચાકિની મહત્તરાગ્નનું શ્રીમાન હરિભદ્રસૂરિએ દશવૈકાલિકસૂત્રની પ્રથમ ગાથાની ટીકામાં સંગમ પદની વ્યાખ્યા કરતાં પાંચ પ્રકારનાં પુસ્તકોની વાત ન કરી નોંધ લીધી છે– गंडी कच्छवी मुट्ठी, संपुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपरणयं, वक्खाणमिणं भवे तस्स ॥१॥ बाहल्लपुहत्तेहिं, गंडीपुत्थो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुप्रो, मझे पिहुलो मुणेयव्वो ॥२॥ चउरंगुलदीहो वा, वट्टागिइ मुट्ठिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरंसो होइ विन्नेप्रो ॥३॥ संपुडगो दुगमाई, फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेति ॥४॥ दीहो वा हस्सो वा, जी पिहलो होइ अप्पबाहल्लो । तं मुरिणयसमयसारा, छिवाडिपोत्थं भयंती ह ।।५।। શબ્દાર્થ–૧. ગંડી, ૨. કચ્છપી, ૩. મુષ્ટિ, ૪. સંપુટફલક, તથા ૫. સુપાટિ—આ પુસ્તક પંચક. તેનું વ્યાખ્યાન આ થાયઃ ૧. જે બાહલ્ય એટલે જાડાઈ અને પૃથકત્વ એટલે પહોળાઈમાં તુલ્ય હોઈ દીર્ધ-લાંબું હોય તે ગંડી પુસ્તક. ૨. જે અંતમાં તન–સાંકડું અને મધ્યમાં પહોળું હોય તે કચ્છપિ પુસ્તક જાણવું. ૩. જે ચાર આંગળ લાંબું અને ગોળ હોય તે મુષ્ટિપુસ્તક. અથવા જે આર આંગળ દીર્ઘચતુરસ્ત્ર હોય તે (મુષ્ટિપુસ્તક) જાણવું. ૪. બે આદિ ફલક (?) હોય તે સંપુટ ફલક. હવે સુપરિને કહીશ-વખાણીશ. તનપત્ર-નાનાં પાનાં અને ઊંચું હોય તેને પંડિતો સૃપાટિ પુસ્તક કહે છે. ૫. જે લાંબું કે ટૂંકું હોઈ પહોળું થવું હોય તેને (પણ) આગમરહસ્ય પાટિ પુસ્તક કહે છે. ત્રિપાઠ-જે પુસ્તકના મધ્ય ભાગમાં મોટા અક્ષરથી મૂળ સૂત્ર કે શ્લોક લખી નાના અક્ષરોથી ઉપર તથા નીચે ટીકા લખવામાં આવે છે, તે પુસ્તક વચમાં મૂળ અને ઉપર નીચે ટીકા એમ ત્રણે વિભાગે લખવામાં આવતું હોવાથી ત્રિપાટ એ નામથી ઓળખાય છે. ૧૧. સોનેરી રૂપેરી શાહીથી લખવા માટે હરિતાલ-સફેદ સહેજ વધારે પ્રમાણમાં ગુંદર નાખી તૈયાર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy