SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] જ્ઞાનાંજલિ વર્ણનની સુગમતા પડે માટે લેખનકળાનાં સાધનનું હું નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં નિરૂપણ કરીશઃ (૧) તાડપત્ર, કાગળ, આદિ, (૨) કલમ, પછી, આદિ, અને (૩) શાહી આદિ. આ પછી પુસ્તકના પ્રકાર, લહિયાઓના કેટલાક રિવાજ, ટેવો ઇત્યાદિની માહિતી આપી છે. ૧. તાડપત્ર, કાગળ આદિ તાડપત્ર-તાડનાં ઝાડ બે પ્રકારનાં થાય છે: (૧) ખરતાડ, અને (૨) શ્રીતાડ. ગૂજરાતની ભૂમિમાં જે તાડનાં વૃક્ષે અત્યારે વિદ્યમાન છે, તે ખરતાડ છે. આ વૃક્ષનાં પત્રો સ્થૂલ, લંબાઈ-પહોળાઈમાં ટૂંકાં તેમ જ નવાં હોય ત્યારે પણ સહેજ ટક્કર કે આંચકે લાગતાં તૂટી જાય તેવાં એટલે કે બરડ હોય છે. માટે પુસ્તક લખવાના કાર્યમાં તેનો ઉપયોગ કરાતો નથી. શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં થાય છે. તેનાં પાંદડાં (પ) લણ, લાંબાં, પહોળાં છે તેમ જ સુકુમાર હોવાથી ઘણું વાળવામાં આવે તે પણ ભાગવાનો ભય રહેતો નથી. જોકે કેટલાંક તાડપત્રો સ્લણ તેમ જ લાંબાંપહોળાં હોવા છતાં કાંઈક બરડ હોય છે, તથાપિ તેના ટકાઉપણું માટે અંદેશો રાખવા જેવું નથી રહેતું. આ શ્રીતાડનાં પાત્રોને જ પુસ્તક લખવા માટે ઉપયોગ કરાતો અને હજુ પણ તે તે દેશમાં પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ કરાય છે. કાગળ જેમ આજકાલ ભિન્ન ભિન્ન પ્રદેશમાં ભિન્ન ભિન્ન જાતિના કાગળો બને છે. તેમ પરાતન કાળમાં અને અત્યાર પર્યત આપણા દેશના દરેક વિભાગમાં પોતપોતાની ખપત તેમ જ જરૂરિયાત પ્રમાણે ભૂગળિયા, સાહેબખાની આદિ અનેક પ્રકારના કાગળો બનતા અને તેમાંથી જેને જે સારા તથા ટકાઉ લાગતા તેનો તે પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. પણ આજકાલ આપણા ગૂજરાતમાં પુસ્તક લખવા માટે અમદાવાદી તેમ જ કાશ્મીરી કાગળનો જ ઉપયોગ કરાય છે. તેમાં પણું અમદાવાદમાં બનતા કાગળે મુખ્યતયા વાપરવામાં આવે છે, કારણ કે કાશ્મીરમાં જે સારા તેમ જ ટકાઉ કાગળ બને છે તેને ત્યાંના સ્ટેટ તરફથી પોતાના દફતરી કામ માટે લઈ લેવામાં આવે છે. એટલે કોઈ ખાસ લાગવગ હોય તે પણ માત્ર અમુક ઘા કાગળ ત્યાંથી મેળવી શકાય છે. આ કાગળો રેશમના બનતા હાઈ એટલા બધા મજબૂત હોય છે કે તેને ઘણું જેથી આંચકે મારવામાં આવે તોપણ એકાએક ફાટે નહિ. આ સ્થળે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ, કે પુસ્તક લખવા માટે જે કાગળો આવે છે તે ત્યાંથી ચૂંટાઈને જ આવે છે; તથાપિ તેને શરદીની હવા લાગવાથી તેને ઘેટો ઊતરી જાય છે. ઘૂટો ઊતરી ગયા પછી તેના ઉપર લખતાં અક્ષરો ફૂટી જાય છે, અથવા શાહી ટકી શકતી નથી. માટે તે કાગળાને ધોળી ફટકડીના પાણીમાં બોળી સુકાવવા પડે છે, અને કાંઈક લીલા–સૂકા જેવા થાય એટલે તેને અકીકના, કસોટીના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘૂંટાથી ઘૂંટી લેવા, જેથી તે દોષો દૂર થઈ જાય છે. ૩. આ તાડપત્રો સાફ કર્યા પછી પણ ર૩ ફૂટથી વધારે લાંબાં અને ૩ ઈંચ જેટલાં પહોળા રહે છે. આ પ્રકારનાં તાડપત્ર પર લખાયેલ કેટલાંક પુસ્તકો પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે. ૪. બારમી શતાબ્દીના પ્રારંભમાં લખાયેલ તાડપત્રો હજુ સુધી એટલાં બધાં સુકુમાર છે, કે તેને વચમાંથી આપણે ઉપાડીએ તો તેની બંને તરફને ભાગ સ્વયમેવ નમી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy