SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] જ્ઞાનાંજલિ પણ તમે વૃદ્ધ છે, તમારી કાયા નબળી છે અને તપસ્યા ઘણી મોટી છે, એટલે તે માટે અમારાથી અનુમતિ શી રીતે અપાય ? તમે તમારી જિંદગીમાં ઉપધાન વહ્યાં છે, પાંચ ઉપવાસ, દસ ઉપવાસ, બાર પાસખમણ (૧૫ ઉપવાસ), મા ખમણ(૩૦ ઉપવાસ), કર્મસૂદનતપ, કલ્યાણતપ, વીસસ્થાનક્તપ, એલની ઓળી, વર્ધમાન તપની તેત્રીસ ઓળી, ચંદનબાળાનો તપ, આઠમ, પાંચમ, અગિયારશ, રોહિણી આદિ ઘણી તપસ્યા કરી જન્મ સફળ કર્યો છે. અમારા ઘરમાં તમે જંગમ તીર્થ સમાન છો. તમને આવા દુષ્કર તપ માટે અનુમતિ કેમ અપાય ? પૂંજીબાઈ એ વળતો ઉત્તર આપ્યો કે તમે સમજુ છે, આ માનવદેહ ક્યાં વાર વાર લાધવાનું છે? તેનાથી જે સાધ્યું તે ખરું. છેવટે કરેલા વોરાની સમ્મતિથી પૂજીબાઈએ તેર ઉપવાસનું પચખાણ કર્યું. આ સમયે કસલા રાની પત્ની સેનબાઈ, જેણીએ એક વાર ભાસખમણ તપ કરેલ છે, તેણીએ પણ પાંત્રીસ ઉપવાસ કર્યા. જેરાજ અને મેરાજની પત્ની મૂળીબાઈ અને અમૃતબાઈ નામે હતી, તેમાંથી અમૃતબાઈએ માસખમણ કર્યું. બહેન અવલબાઈએ પણ માસખમણ કર્યું. જાણે આખા સંઘમાં તપસ્યાની લબ્ધિ પ્રગટી હોય તેની જેમ એકંદર ૭૫ મા ખમણ થયાં અને સંઘ આખામાં એવ-મહોચ્છવ, પ્રભાવના થઈ રહ્યાં. આ તરફ અશાતાને ઉદય થવાથી પૂછબાઈનું શરીર એકદમ લથડી ગયું, જેના સમાચાર જાણતાં જ ધીંગડમલ્લ ૧૧ ધારસીને પુત્ર મહેતો ડોસો તેમ જ સંઘનાં મુખ્ય મુખ્ય સ્ત્રીપુરુષો ત્યાં આવ્યાં, અને ૮. અવલબાઈ કણ? એ અહીં જણાવેલ નથી. સંભવતઃ કસલા રાની બહેન દીકરી હોવી જોઈએ. ૯. પં. પદ્મવિજ્યજીએ સમરાદિત્યના રાસમાં પણ આ હકીકત વર્ણવી છે – તેણે વર્ષે તિહાં સંઘમાં, તપ કીધાં ઘર ઘરબાર રે; પંચેતેર મા ખમણ તે, થયા જિનબિંબ માનનાર રે. ૧૪ ૧૦. તપબહુમાનભાસમાં એટલું વધારે જણાવવામાં આવ્યું છે કે, રાજા હરભમજીએ તપસ્યા કરનારને રૂપિયાની લહાણી કરી હતી. ૧૧. ધીંગડમલ્લ એ ધારસી મહેતાનું ઉપનામ અથવા અટક હોય એમ લાગે છે. ૧૨. ડોસા મહેતા માટે લીબડીનાં ઘરડાં પાસેથી એમ સાંભળવામાં આવ્યું છે કે તેઓ સ્થાનકવાસી હતા અને વોરા ડોસા દેવચંદના ભાગીદાર હતા. બન્નેય ભિન્ન ભિન્ન સંપ્રદાયના હોઈ વાર તહેવારે જવા-આવવામાં ભિન્નતા પડતી, એ વાત બનેયને રુચતી ન હોવાથી નિશ્ચય કર્યો કે યા તો આપણે બનેય સ્થાનકવાસી હોવા જોઈએ અથવા આપણે બનેય મૂર્તિપૂજક હોવા જોઈએ, પણ ભિન્નતા તે ઠીક નહિ. છેવટે બન્ને જણાએ મૂર્તિને મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો, જેના નિર્ણય માટે ડોસા વોરા પાંચ રૂપિયા ડિપોઝિટ મૂકી પાટણના સંઘવીના પાડાના ભંડારમાંથી જ્ઞાતાધર્મ કથાગ, રાજપ્રેમીયોપાંગ અને ઉવવાઈસત્રાદિની તાડપત્રીય પ્રતો લાવ્યા, જે પ્રતો અત્યારે લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અંતમાં નિર્ણય થયા બાદ ડોસા મહેતાએ અને તેમના કુટુંબે સ્થાનકવાસીપણાનો ત્યાગ કર્યો. આ ત્યાગની વાત ડિસા મહેતાના વંશજો પણ સ્વીકારે છે. ડોસા મહેતાની ભરાવેલી સીમંધરસ્વામીની પ્રતિમા લીંબડીના શાંતિનાથના જના દેરાસરમાં વિદ્યમાન છે. તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે : संवत् १८२० वर्षे माधशुदि १३ दिने डोसा धारसी सीमंधरजिनबिंब कारपित श्री પાછળથી આ મહેતા કુટુંબ સ્થાનકવાસી થઈ ગયું છે. અહીંનું સંઘવી કુટુંબ એક વાર મૂર્તિપૂજક હતું તે પણ અત્યારે સ્થાનકવાસી છે. આ લેકના લત્તામાં જે મંદિર હતું તે શાંતિનાથના જૂના મંદિર સાથે ભેળવી દેવામાં આવ્યું છે. પદ્મવિજયજીએ કસલા વેરા ઉપર લખેલ પત્રમાં “ડોસા ધારસી તથા સોંસમલ તથા ઝવેરીને ધર્મલાભ કહેવો” એમ જણાવ્યું છે તે ડોસા ધારસી આ જ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy