SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન [ ૩૩ થયા. જેઠાને પૂછબાઈ નામે પત્ની હતી, તેનાથી જેરાજ અને મેરાજ બે દીકરા થયા. અને કસલાને સેનબાઈ નામે પત્ની હતી, તેનાથી લખમીચંદ અને ત્રિકમ બે દીકરા થયા. - સં. ૧૮૧૦ માં મહાત્મા શ્રી દેવચંદ્રજી પધાર્યા, ત્યારે ડોસા વોરાએ પ્રભુ પધરાવવાની ઈચ્છાથી પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કર્યો. ગામગામના લોકોને નોતર્યા. આવેલાઓને રહેવા માટે તંબુ આદિની ગોઠવણ કરી અને તેમને માટે ઠેકઠેકાણે પાણીની પરબ બેસાડી. સત્તરભેદી પૂજા, અષ્ટોત્તરી સ્નાત્ર આદિભણાવી શ્રી દેવચંદ્રજી પાસે પ્રતિષ્ઠા કરાવી સીમંધરસ્વામીની પ્રતિમા સ્થાપન કરી. લેકેને સુખડીનાં જમણે આપ્યાં. અન્ય વર્ણના લોકોને પણ જમણ જમાડી સંધ્યા સં. ૧૮૧૨ માં જેઠા વોરા સ્વર્ગે ગયા. સં. ૧૮૧૪માં ડોસા વોરાએ સંધપતિનું તિલક કરાવી સિદ્ધાચલને સંઘ કાઢયો. સં. ૧૮૧૭માં સાસુ-વહુ હીરબાઈપૂજીબાઈએ સંવિપક્ષી પં. ઉત્તમવિજયજી પાસે ઉપધાન વહી માળ પહેરી. સં. ૧૮૨૦માં બીજી વાર ડોસા વોરાએ પંન્યાસ મોહનવિજયજી પાસે પ્રતિષ્ઠા કરાવી અજિતવીર્ય નામના વિહરમાનજિનની મૂર્તિ બેસાડી અને ગામેગામ કંકેતરી લખી સિદ્ધાચળજીનો સંઘ કાઢવો. પૂજા, સામિવલ, પ્રભાવના આદિ કરતા ઘેર પાછા આવ્યા.આ રીતે ધર્મકરણ કરતાં કરતાં ડોસા વોરા સં. ૧૮૩૨ના પોસ વદિ ૪ ને દિવસે દેવલોક ગયા.આ જ વર્ષમાં પૂજીબાઈ એ પોતાના પતિ જેઠા વેરા પાછળ ચોરાસી જમાડી. અને એ જ વર્ષમાં પં. પદ્યવિજયજી વિવેકવિજયજી સાથે લીબડી તરફ આવ્યા. તેમને પ્રવેશ મહોત્સવ ઘણુ ઠાઠથી કરી માસું રાખ્યા અને ઉપધાન આદિ ધર્મકરણી પ્રવર્તી. સં. ૧૮૩૯માં પંપદ્યવિજયજી મહારાજ લાલવિજયાદિમુનિઓ સાથે બીજી વાર ચોમાસું રહ્યા. ચોમાસામાં પૂછબાઈએ પોતાની સાસુ સાથે એકાંતમાં નિશ્ચય કરી કસલા વોરાને પૂછ્યું કે જે તમારી સમ્મતિ હોય તો હું પાંત્રીસ ઉપવાસ કરું. કસલાએ કહ્યું કે તમારા ઉદયમાં હોય તે તપ કરે, ૪. સીમંધરસ્વામીની પ્રતિમા શાંતિનાથના જૂના મંદિરમાં વિદ્યમાન છે. તેના ઉપરને લેખ ઘસાઈ ગયો છે, એટલે અહીં આપી શકી નથી. ૫. સુખડીના જમણનું નામ સાંભળી વાચકોના હૃદયમાં ગ્લાનિ સાથે યુવાન માણસના દાંત ભાગી નાખે તેવાં ગોળ-ઘઉંના લોટનાં ઢેફાંની સ્મૃતિ થઈ આવશે. પરંતુ વાચકે તેમ ન માની લે. જેમ સુરતની બરફી, ખંભાતની સૂતરફેણી અને ભજિયાં, ભાવનગરના દશેરા ઉપર થતા ફાફડા, જામનગરના અડદિયા ઈત્યાદિ તે તે દેશમાં વખણાતાં વિશિષ્ટ પકવાન્નો છે, તેમ લીંબડીની સુખડી એ પણ પંકાતું એક વિશિષ્ટ પકવાન્ન છે, જેની જોડ બીજે ન જડે. આ પકવાન્સમાં ઓછામાં ઓછું મણે મણ ઘી નાખવામાં આવે છે. એટલા ઉપરથી આની વિશિષ્ટતા ક૯પી શકાય. વાચક ! જે તમને વિશ્વાસ ન હોય અને લીંબડીમાં તમારે કોઈ વિશ્વસ્ત સ્નેહી વસતો હોય તો જરૂર આ નગરના જમણની સુખડી મંગાવી ચાખી જેજે. ૬. અજિતવીર્યની પ્રતિમા શાંતિનાથના જૂના દેરાસરમાં છે. તેના ઉપર નીચે લેખ છે? संवत् १८२० वर्षे माहसुदि १३ दिने वोरा डोसा देवचंद श्रीअजितवीर्य......... આ લેખ સિમેન્ટ લગાડી દાબી દીધું છે. પાલીતાણુના લેખો દાબી દેવા માટે આણંદજી કલ્યાણજીની પેઢી અને સ્વર્ગસ્થ શ્રીયુત વેણીચંદ સરચંદ એકલા જ જસ ખાટી જાય એ લીંબડીના લોકોને ગમે ખરું? ૭. તપબહુમાનભાસના કર્તા લાલવિજયજી તે આ જ, gો. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy