SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૩૩ પચાસથી પણ વધારે વરસ પહેલાંની વાત છે કે અત્યારે જે મકાનમાં શ્રી પુણ્ય ચોમાસું છે તેના પૂર્વવત જૂના મકાનમાં વડોદરામાં જ મુનિ શ્રી જિનવિજ્યજી સાથે શ્રી પુણ્યનો મને સૌથી પ્રથમ પરિચય થશે. પૂજ્ય શ્રી પ્રવર્તકજી મહારાજનો તથા માનનીય શ્રી ચતુરવિજયજી મહારાજનો પણ તે વખતે સૌપ્રથમ સમાગમ થયો. રાતનો વખત હતા, શી વાતચીત થઈ તે તો અત્યારે સ્મરણમાં નથી, પણ કાંઈ સાહિત્ય-સંપાદન-સંશોધન વા કાંઈ લેખન વિશે એ વાત હતી એટલો ખ્યાલ રહ્યો છે. વડોદરા કેટલે સમયે હું રહેલે એ પણ યાદ નથી આવતું. પણ પ્રથમ સમાગમ જ એવો થયો કે વારંવાર સમાગમ કરવાનું મન થયા કરતું. પૂજ્ય પ્રવર્તક મને બિલ મારા પિતાના સ્થાને ભાસેલા અને પૂજ્ય શ્રી ચતુરવિજયજી પણ ખાસ વિશેષ સ્નેહાળ-આકર્ષક લાગેલા. તે વખતે હું આગમના ભાષાંતરના કામમાં હતો કે શ્રી જિનવિજયજી સાથે “ જેન સાહિત્ય સંશોધક”ની પ્રવૃત્તિમાં હતો, એ પણ સ્મૃતિમાં રહ્યું નથી. મારા વિચિત્ર વિચારો હોવા છતાં એ મુનિત્રયની વિશેષ સહાનુભૂતિ મેળવી શકેલે એ તો મને બરાબર યાદ છે. સહાનુભૂતિનો અર્થ કઈ એમ ન સમજે કે એ મુનિઓનો મારા વિચારોને ટેકે હતા, પણ ભિન્ન રીતે વિચારનાર વ્યક્તિ સાથે એમનું વર્તન પોતાના સમાન વિચાર ધરાવનાર સાથે જેવું હોય તેવું બરાબર મેં અનુભવેલું. અહીં મેં જૈન મુનિઓમાં પણ પરમસહિષ્ણુતાનો ગુણ હોય છે, એવું સૌથી પ્રથમ જ અનુભવ્યું, જે અન્યત્ર ક્યાંય અનુભવેલ નહીં. એ જ ગુણ ત્યારે શ્રી પુણ્યમાં જેવો હતો તેવો આજે પણ વિશેષ વિશદપણે વિકસેલે છે. મારી પ્રવૃત્તિ શ્રી પુણ્યની જેમ જ જૈન સાહિત્યના સંશોધન-સંપાદન અને તે અંગે બની શકે એવું કાંઈ લખવાની રહેતી. એમાં શ્રી પુણ્યને સહકાર જ્યારથી હું તેમને મળ્યો ત્યારથી આજ સુધી સતત રહેતો આવેલ છે. એ માટે જાહેરમાં અને લેખોમાં પણ મેં તેમનું વિશેષ ઋણ સ્વીકારેલ છે. અને અહીં પણ એ સ્વીકૃતિને દુહરાવીને સંતોષ માનું છું. અને પ્રથમ પરિચયથી તે આજ સુધી મેં તેની કોઈ મર્યાદા લોપી હોય તેવું સ્મરણમાં નથી. માણસ છું અને સ્વસ્થ પણ ખરો જ, છતાં તેમની મર્યાદા બની શકે તે રીતે જાળવવા જાગૃતિ રાખવામાં જ મેં આનંદ અનુભવ્યો છે. એવો પણ પ્રસંગ આવેલો કે જ્યારે મારા વિચાર પ્રમાણે ન્યાયને ખાતર કોઈ હરિજન કેસને અંગે જુબાની આપવા વિચારતો હતો અથવા કાંઈ લખવા ધારતો હતો અને તેમ કરતાં બીજી પરંપરાના કેઈ રૂઢ પ્રકૃતિને મુનિની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે એવી પરિસ્થિતિ હતી, ત્યારે માત્ર શ્રી પુષ્યની તરફના બહુમાન અને આદરને ખાતર એ પ્રવૃત્તિ બંધ રાખેલી એવું મારું તેમના તરફ માનસિક આકર્ષણ રહેલું. પૂજ્ય પ્રવર્તકજીના સમાગમમાં મેં તેમની ક્રાંતિયુક્ત વિચક્ષણતા અનુભવેલી અને એ આપણે ત્યાં ઊપડેલા બાલદીક્ષાના ઝંઝાવાતમાં મેં બરાબર અનુભવી. આ અંગે પૂજ્ય પ્રવર્તક પાસે સલાહસૂચન મેળવવા ભાવનગરવાળા મારા મિત્ર શ્રી ભાયચંદભાઈ વકીલ સાથે પાટણ પણ ગયેલ. પહેલી મુલાકાત વડોદરામાં, પછી મુંબઈમાં અને ત્યાર પછી અનેક વાર પાટણમાં થયેલી. તે વખતે જે ક્રાંતિયુક્ત વિચારધારા પૂજ્ય શ્રી પ્રવર્તકજીમાં અનુભવેલી તે તેમના આ પ્રશિષ્યમાં પણ ઊતરી આવેલી છે એમ મને અનુભવથી સમજાયું છે. બૃહકલ્પનું સંપાદન-સંશોધન અને તેમાં લખાયેલી પ્રસ્તાવના જ શ્રી પુણ્યની ક્રાંતિયુક્ત વિચારધારાનાં સાક્ષીરૂપ છે. એક કહેવાતા ગીતાર્થ મુનિએ શાસ્ત્રનું નામ દઈને એવી વાત વહેતી મૂકેલી કે દીક્ષાના પ્રસંગમાં સાધુઓ છોકરાઓને સાધ્વીના ઉપાશ્રયમાં પણ સંતાડી શકે છે, એવું શાસ્ત્રવચન છે. અને તે આ હકીકત મિથ્યા જ લાગેલી અને આ અંગે મેં “દીક્ષાનું સા. અ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy