SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલેાકન [ ૨૩ પરંપરામાં દૂર દૂર થયેલ આચાર્યાંના ઉપદેશથી એક જ સંતતિમાં દૂર દૂર થયેલ પ્રાગ્ધાટનાતીય પેથડશાહ, મંડલીક તથા પત-૧૦કાન્હાએ નવીન ગ્રંથે લખાવી જ્ઞાનભડારો સ્થાપ્યા હતા. કેટલાક એવા ૧૧ ગૃહસ્થા હતા, જેઓ કોઈ વિદ્વાન મુનિવરે નવીન ગ્રંથની રચના કરી હોય તેની એકીસાથે ઘણી નકલેા લખાવતા. ૧૨કેટલાક એવા પણ હતા, જેઓ માત્ર કલ્પસૂત્રની જ પ્રતા લખાવતા અને પેાતાના ગામના ઉપાશ્રયેમાં અગર ગામેગામ ભેટ આપતા. આ રીતે દરેક ગચ્છના આચાર્યાદિ મુનિવના પુણ્ય ઉપદેશથી ભિન્ન ભિન્ન જ્ઞાતિના સેંકડા ધર્માત્મા એક એક ગૃહસ્થે એક એક જ નહિ પણ અનેકાનેક જ્ઞાનભંડારા સ્થાપ્યા હતા. આ સૌનાં પવિત્ર નામાનું સ્મરણ કરવું શકય નથી, એ સ્થિતિમાં એક એક અગર તેથી વધારે પુસ્તકે લખાવનાર વ્યક્તિઓનાં પાંચ–દસ નામાની નેાંધ લેવી તેના કરતાં તે સ વ્યક્તિઓને હાર્દિક ધન્યવાદ અપી વિરમીએ એ વધારે યાગ્ય છે. જેએ આ પુણ્ય પુરુષોનાં નામ તેમ જ તેમને સવિશેષ પરિચય મેળવવા ઇચ્છતા હોય તેમને ડૉ॰ કિલહ્વાન, ડૉ॰ પિટર્સન, સી ડી દલાલ આદિ સપાક્તિ પ્રાચીન જૈન જ્ઞાનભંડારાના રિપોર્ટ જોવા ભલામણ છે. ઉપર નિવેદન કરવામાં આવ્યું તેમ, આજ સુધીમાં સેંકડા જ્ઞાનભંડારા ઊભા થયા અને કાળની કુટિલતાને બળે, રાજ્યની ઊથલપાથલને લીધે, જૈન યતિવની પતિતતાને કારણે, તેમ જ જૈન સમાજની અજ્ઞાનતાને લીધે પણ તે બધાય શીણું –વિશી થઈ ગયા, ગૂજરાત, મારવાડ, મેવાડ,દક્ષિણ, બંગાળ આદિ દેશેામાં વસતા પતિત યતિવગે સેંકડા ભંડારા નષ્ટ કર્યાની વાત સૌ કાઈ જાણતું હશે. પરંતુ તે જ દેશમાં વસતા અજ્ઞાન આગેવાન ગણાતા જૈન ગૃહસ્થવર્ગે સ્વયં તેમ જ કેટલીએક વાર અણુસમજી હોવા છતાં ચિરપ્રત્રજિત હાઈ મોટા તરીકે પડકાયેલ અણુસમજુ ૧૩મુનિવની પ્રેરણા કે સમ્મતિથી ૧૦. આ સૌના પરિચય માટે જુઓ : પુરાતત્ત્વ, વર્ષ ૧, અંક ૧ માંના “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ’શીક સારા લેખ. ૧૧. આચાર્ય અભયદેવ, ધર્મસાગર ઉપાધ્યાય આદિના ગ્રંથૈાની પ્રતિમાં જે ગૃહસ્થાએ એક સાથે પ્રેમપૂર્વક અનેક આદર્શ લખાવવાના પુણ્ય કાર્યમાં પેાતાની લક્ષ્મીને વ્યય કર્યાં છે, તેમનાં નામેાની નેધ લીધી છે. ૧૨. लेखयित्वा वरान् कल्पान् लेखकैः रूपसंयुतान् । પત્તા ન સર્વશાલાનુ સ્વાશ્વતં યો પ્રસાયે (?) | Jain Education International गन्धारबन्दिरे तौ झलमलयुगलादिसमुदयोपेताः । श्री कल्पपुस्तिका पि दत्ताः किल सर्वशालासु ॥ —નિશીયસૂરીની પ્રતિ, પાલીતાણા. ૧૭. અહીં કરાયેલ મુનિવર્યંના ઉલ્લેખ ઘણાને કલ્પિત લાગશે, પરંતુ તે રીતે વહેતી નદીઓમાં અને કૂવામાં પધરાવી આવનાર ગૃહસ્થાના મેઢેથી સાંભળેલી આ વાત છે. આ સિવાય પાલીતાણામાં ભીંતા ઉપરના વસ્તુપાલ આદિના શિલાલેખા ર્ણ અવસ્થામાં આવી જવાને કારણે ભીંતેાની શેભામાં ઘટાડા થતા હોવાથી તેને સિમેન્ટ તેમ જ રંગથી પૂરી દેવાની સલાહ પણ આવા મહાત્મા તરફથી મેળવી તેને પૂરી દીધાની વાત ત્યાંના ઘરડા કારભારીએ સભળાવે છે. અસ્તુ. જ્યાં વહીવટ કરનારાઓ નિષ્પ્રાણ હાય, ત્યાં આથી બીજી શી આશા રાખી શકાય ? —લ્પસૂત્ર પ્રતિ, તીવડો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy