SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનભંડારાની સમૃદ્ધિ આપણી ભારતીય બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી લિપિ સુધીના ક્રમિક વિકાસના અભ્યાસ માટે ઘણી જ ઉપયાગી છે. મને લાગે છે કે આપણા જ્ઞાન-સ`ગ્રહે!માં રહેલી જુદા જુદા લેખકોને હાથે જુદા જુદા ભરાડમાં લખાયેલી પ્રાચીન-અર્વાચીન પ્રતિએના સૈકા વાર ફોટોગ્રાફ્સ લઈ લિપિમાલાનું એક આલબમ બનાવવામાં આવે અને કાઈ આર્ટિસ્ટ પાસે એમની વર્ણમાલાનાં રૂપાન્તરાના શતાબ્દીના ક્રમથી ચાર્ટ્સ તૈયાર કરાવવામાં આવે, તે! ભારતીય વિદ્યાર્થીએ માટે આજની વ્યાપક દેવનાગરી, ગુજરાતી વગેરે લિપિઓના ક્રમિક વિકાસના ઊંડા અભ્યાસ માટેની અતિ મહત્ત્વની સામગ્રી તૈયાર થાય. મારી વિનતી છે કે પ્રાચ્યવિદ્યા મંદિર–વડાદરા, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ દિર–અમદાવાદ જેવી ગુજરાતની પ્રમુખ સસ્થાએ આ કા'ને જરૂર ધ્યાનમાં લે. આપણા જ્ઞાનભંડારામાંની વ્યાપક સામગ્રીનું વ્યાપક દૃષ્ટિએ અવગાહન કર્યાં પછી મને એક વાત સૂચવવી ચેગ્ય લાગે છે, કે આજના વિદ્રાનાએ વૈદિક અને બૌદ્ધ સાહિત્યના અધ્યયન અને અવગાહન દ્વારા ધણું ધણુ' સ’શાધન કરી અનેક વિષયેા ઉપર પ્રકાશ પાડયો છે. એ જ રીતે ભારતીય સંસ્કૃતિના મહત્ત્વના અંગ તરીકે સ્વીકારેલી જૈન સંસ્કૃતિના સાહિત્યનું અધ્યયન અને અવલાકન કરવું એટલું જ આવશ્યક અને પૂરક છે. જૈન આગમેા અને એના ઉપરના નિર્યુક્તિ-ભાષ્યચૂ-િવૃત્તિ આદિ વ્યાખ્યાથા, દાર્શનિક સાહિત્ય, કથાસાહિત્ય આદિમાં ભારતીય વ્યાપક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટેની કલ્પનાતીત વિપુલ સામગ્રી વર્તમાન છે, જેનેા કઈક ખ્યાલ આવે એ માટે અમે ગુરુ-શિષ્યે એટલે કે મારા પૂજ્ય ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે અને મેં સંપાદિત કરેલા વૃન ગ્રંથ અને વેહિકો તથા વિજ્ઞા ગ્રન્થનાં પરિશિષ્ટા જોવા ભલામણ કરું છું. હ્યુન ગ્રંથમાં આપણા ભારતની પ્રાદેશિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક આદિ અનેક વિષયે તે લગતી માહિતી છે. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ દેશનાં આનંદપુર (વડનગર ), કચ્છ દેશ, દીવબંદર, દ્વારિકા, ભૃગુકચ્છ, સાપાર્ક, પ્રભાસ, પ્રાચીનવાહ, અર્જુદ, ઉજ્જયંત, ભૂતતડાગ, બન્નાસા (બનાસ નદી ), સરસ્વતી નદી વગેરે વિગતે આમાં છે. પ્રાચીન યુગમાં આપણા ગામ, નગર, ખેડ, કટ, મડબ, દ્રોણુમુખ આદિની રચના, તેના આકાશ અને એની આસપાસ રક્ષણ માટે કરાતા પથ્થર, ઈંટ, માટી, ધૂળ, ખપાટિયાં આદિના પ્રાકાર, વાડ વગેરે કેવાં હતાં તેની હકીકત પણુ આ ગ્રન્થમાં મળી આવે છે. પ્રાચીન યુગમાં આપણે ત્યાં કઈ કઈ જાતનાં નાણાં-મુદ્રા-સિક્કાનુ ચલણ હતું, એનાં કાકિણી, કેતર, કેડિય, નેલક, દીનાર, દ્રમ્સ, સાભરક આદિ નામેા, એનું પ્રમાણ અને એ જ્યાં ચાલતાં તે સ્થળાતા ઉલ્લેખ પણ આમાં મળે છે. તીર્થસ્થાન, ઉત્સવેા, જમણુ આદિ વિશેના ઉલ્લેખા પણ નજરે પડે છે. પતિશાલા, ભાંડશાલા, કર્માંશાલા, પચનશાલા, વ્યાધરણુશાલા આદિ શાલા, કુત્રિકાપણુ (વિશ્વવસ્તુભંડાર ), આપણાં વસ્ત્રના પ્રકારા, મદ્યના પ્રકારો, વિષના પ્રકારે, યંત્રો આદિ અગણિત વિષયાની માહિતી આમાં છે. તીસ્થાને, ઉત્સવ, જમણુ આદિની યાદી પણ આમાં છે. આ ઉપરાંત મૌર્યવંશીય અશૅાક-સપ્રતિ, શાલિવાહન, મુરુડરાજ આદિ રાજાએ; આ સુહસ્તિ, કાલિકાચા, લાટાચાય, સિદ્ધસેનસૂરિ, પાદલિપ્ત આદિ આચાર્યાની હકીકત પણ આ ગ્રંથમાં છે. રેફ્રેિંડી, જેની રચના અનુમાને વિક્રમના પાંચમા સૈકાની આસપાસમાં થયાના સંભવ છે, તેમાં ભગવદ્ગીતા, પેરાગમ (પાકશાસ્ત્ર ) અને અર્થશાસ્ત્ર: આ ત્રણ મહત્ત્વના ચાના ઉલ્લેખ છે. અત્યથેચ મળી એમ કહીતે નોંધેલે, “વિકેલેગ માયા સત્યેન ય દંતો અવળો વિદ્યુમાનો સત્ત ત્તિ । આ ઉલ્લેખ પ્રાકૃતમાં છે. એ ઉપરથી તેમ જ આ આશય સાથે સામ્ય ધરાવતું કાઈ સૂત્ર કૌટિલીય .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy