________________
વરર]
જ્ઞાનાંજલિ છે. ભોગીલાલ સાંડેસરાએ પોતાના “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો” નામના પુસ્તકમાં સવિસ્તર લખ્યું છે. સાતમાં પ્રશસ્તિલેખના કર્તા દેદર પંડિત, આઠમા પ્રશસ્તિલેખન કર્તા જગસિંહ અને નવમા પ્રશસ્તિલેખના કર્તા ઠક્કર વૈરિસિંહ–આ ત્રણ વિદ્વાનોનાં નામ પ્રાયઃ અન્યત્ર અનુપલભ્ય છે. આથી વસ્તુપાલના વિદdલમાં આ ત્રણ નામ ઉમેરાય છે.
અહીં જણાવેલા દશ પ્રશસ્તિલેખોના સંગ્રહની હસ્તલિખિત પ્રતિ અને શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર(રાધનપુર)માંથી મળી છે. પ્રસ્તુત પ્રતિ વિક્રમના પંદરમા શતકને અંતભાગમાં લખાયેલી છે.
પ્રસ્તુત દશ પ્રશસ્તિ લેખો પૈકી પહેલા પ્રશસ્તિલેખ સિવાયના નવ લે અદ્યાધિ અપ્રસિદ્ધ છે. પહેલા પ્રશસ્તિલેખનું મુદ્રણ સિંઘી જૈન ગ્રંથમાલામાં સંથાંક ૫ તરીકે “મહામાત્ય-વસ્તુપાલ-કીર્તિકીર્તનસ્વરૂપ સુકૃતકીર્તિકર્લોલિન્યાદિ વસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ' નામે પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં થયેલું છે. છતાં અહીં આપેલા આ પહેલા પ્રશસ્તિલેખમાં વરતુપાલે ગિરનાર ઉપર કરાવેલા શત્રુંજયાવતાર તીર્થની ડાબી બાજુની ભીંત ઉપરના શિલાલેખની નકલરૂપે પ્રસ્તુત પહેલો પ્રશસ્તિલેખ છે તે હકીકત વિશેષ હોવાથી જિજ્ઞાસુઓને અને સંશોધકને ઉપયોગી સમજીને અહીં આવે છે. વસ્તુપાલને લગતા અન્યોન્ય સાહિત્યની તથા આ પ્રશસ્તિઓની ગંભીર પાંડિત્યપૂર્ણ રચના જોતાં વરતુપાલ ઉચ્ચ કોટિનો કાવ્ય પરીક્ષક હતો તે હકીકત સ્પષ્ટ થાય છે. દશમો પ્રશસ્તિલેખ, પહેલાં જણાવ્યું તેમ, શિવાલયના શિલાલેખની ઉત્તરોત્તર થતી આવેલી નકલરૂપે છે. એટલે પહેલા અને દેશમાં પ્રશસ્તિ લેખ સિવાયના આઠ પ્રશસ્તિલે વસ્તુપાલની પરિચાયક રસ્તુતિ-પ્રશસ્તિરૂપે છે. અલબત્ત, આ પ્રશસ્તિઓ વસ્તુપાલના કઈ પણ શિલાલેખના ગદ્યભાગ સાથે મૂકવા માટે બરાબર સંગત થાય તેવી છે. આમ છતાં આઠમો પ્રશસ્તિલેખ માત્ર એક પદ્યરૂપે છે તેથી આ પ્રશસ્તિ તો કેવળ રસ્તુતિપ્રશંસારૂપે જ ગણાય.
આ ઉપરથી અનુમાન થાય છે કે, જેમાં પ્રાચીન કાળમાં મહારાજા ભોજ આદિ વિદ્યાપ્રિય અને દાનશીલ રાજાઓ સમક્ષ કુશળ કવિઓ પિતાની ઉત્તમોત્તમ કૃતિઓ રજૂ કરીને સુયોગ્ય પરીક્ષક પાસેથી પુરસ્કાર લઈને ગર્વ અનુભવતા તેમ વસ્તુપાલ સમક્ષ પણ અનેક વિધાનો આવતા હશે જ અને તે તેમની કૃતિઓની પૂરેપૂરી મહત્તા સમજીને સમુચિત પુરસ્કારથી તેમને સન્માનતા હશે એમાં જરાય શંકા નથી. સંભવ છે કે આઠમો પ્રશસ્તિલેખ આવા જ કોઈ પ્રસંગનો હોય.
પ્રારંભમાં આપેલા બીજા શિલાલેખમાં વસ્તુપાલ માટે વપરાયેલું વિશેષણ વાપ્રતિપHTTR(સરસ્વતીને દત્તક પુત્ર) પણ વસ્તુપાલમાં ઉત્તમ પાંડિત્ય અને પાંડિત્યપરીક્ષણ હતું તે વસ્તુનું સૂચક છે. વસ્તુપાલનું આ વિશેષણ જરાય અતિશયોક્તિ કે વિચારુતારૂપે નથી પણ એ એક હકીકતનું સૂચક છે, કારણ કે, વસ્તુપાલે પોતે રચેલા નરનારાયણનન્દ મહાકાવ્ય અને રૈવતકાદ્રિમંડનનેમિનિસ્તવના અંતમાં પિતાને વાવી ધર્મમૂન અને શારાઘમંજૂનું એટલે કે સરરવતીના ધર્મપુત્રરૂપે જણાવે છે. તે
ટૂંકમાં, વસ્તુપાલનો પરિચય આપનાર લભ્ય સર્વ સાધનેમાં તેનું પાંડિત્ય ડગલે ને પ . ખાયેલું હોવાથી વિધાનને એના પ્રત્યે અનન્ય આકર્ષણ હતું તે નિર્વિવાદ હકીકત છે. સાપ સી. અહીં એ પણ સમજી લેવું જોઈએ કે, વસ્તુપાલના સંબંધમાં ઉપલબ્ધ થતી નાની મોટી રચનાઓની એ વિશેષતા છે કે તેના રચનારા ઉચ્ચ કોટિના વિશિષ્ટ વિદ્વાન હતા. આવા વિદ્વાને વિદ્યા પ્રત્યેના સમુચિત આંતરિક આદર સિવાય કેવળ ધનકુબેરના ધનથી આકર્ષાય તેવા યાચકત્તિવાળા હોઈ શકે જ નહિ, અને હોય તો તેમની રચનાઓ આવી પ્રાસાદિક બની શકે નહિ. આ ઉપરથી વસ્તુપાળમાં વિદ્યા પ્રત્યે તેમ જ વિદ્વાનો પ્રત્યે બહુમાનયુક્ત ભક્તિ હતી તે હકીકત સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org