SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યશ્લાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખે તથા પ્રશસ્તિલેખા [ ૩ર૧ પ્રશસ્તિલેખાંક ૪: આના રચયિતા કવિસાર્વભૌમ હરિહર પડિત છે. આ પ્રશસ્તિમાં વસ્તુપાલની દાનશીલતા અને યશસ્વિતાને સુંદર રીતે વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા જણાવી છે. વરતુપાલે સંગ્રામસિંહને પરાજિત કર્યાના ઉલ્લેખ પણ અહીં છે. વસ્તુપાલે કરેલા શંખનૃપપરાભવના પ્રસંગને વર્ણવતું શંખપરાભવ નાટક આ રિહર પડિતે રચ્યું છે. પ્રશસ્તિલેખાંક ૫: માત્ર ચાર કાવ્યાત્મક આ પ્રશસ્તિના રચયિતા મહામાત્ય વસ્તુપાલના પરમ મિત્ર યશેાવીર મંત્રી છે. આમાં વસ્તુપાલને ગુણવાન મિત્રો પ્રત્યેના આંતરભક્તિયુક્ત સ્નેહ અને વસ્તુપાલમાં એવી કઈ વસ્તુ નથી જે જગતમાં કોઈ ને પણ અપ્રિય હાય, આ એ હકીકતે મુખ્યતયા જણાવી છે. ઉપરાંત વસ્તુપાલની સક્તિ (સુભાષિતા) શ્રેષ્ઠતમ હતી તેને પણ નિર્દેશ અહીં જાણી શકાય છે. પ્રશસ્તિલેખાંક ૬ : આ પ્રશસ્તિ ૪૦ લૂણસિંહના પુત્ર કર અરસિંહ—હપુર અરિસિંહે—રચેલી છે. અહી' વસ્તુપાલની સચ્ચરિત્રતા, ધર્મભાવના અને દાનશીલતા વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા તથા વીરતા જણાવી છે. પ્રશસ્તિલેખાંક ૭: આમ નામના પંડિતના ભાઈ દાદર નામના પડિતે આ પ્રશસ્તિ રચી છે. અહી વસ્તુપાલમાં લક્ષ્મી-સરસ્વતીનુ ઐકય બતાવ્યું છે. ઉપરાંત તેની સૂક્તિ, રાવતે મુખી કા દક્ષતા, વીરતા, દાનશીલતા અને વિદ્વત્તાના અહીં નિર્દેશ કર્યાં છે તેમ જ તેના યશને સર્વ દિવ્યાપી જણાવ્યા છે. પ્રશસ્તિલેખાંક ૮ : માત્ર એક જ પદ્યમય આ પ્રશસ્તિ જગસિંહુ પૉંડિતે રચી છે. અહી વસ્તુપાલને આલંકારિક રીતે સત્પુરુષ જણાવેલા છે. પ્રશસ્તિલેખાંક ૯ : આ પ્રશરિતના કર્તા ભૃગુકચ્છ(ભરૂચ)નિવાસી ધ્રુવ અટકવાળા ઠક્કર વીકલના પુત્ર ઠક્કુર વૈરસિદ્ધ છે. અહીં વસ્તુપાલને મહાન યોદ્ધો, શ્રેષ્ઠ પરોપકારી અને વિદ્વાન જણાવેલ છે. પ્રશસ્તિલેખાંક ૧૦ : આ પ્રશસ્તિમાં એના રચનારનું નામ આપ્યું નથી. અંતની પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે માંધાતૃનગરમાં આવેલા મડ઼ેશ્વર નામના શિવાલયના શિલાલેખની આ પ્રશસ્તિ છે. આનાં પહેલાં બે પદ્યો શંકરની પૂજા-ભક્તિરૂપે છે અને બાકીનાં ત્રણ પદ્યો વસ્તુપાલની પ્રશસ્તિરૂપે છે. આમાં વસ્તુપાલનું નામ નથી તેમ જ અંતિમ પાંચમા પદ્યમાં પ્રશસ્તિના મુખ્ય નાયકને શીલા નામની પત્ની જણાવી છે તેથી આ પ્રશસ્તિ વસ્તુપાલની હશે કે કેમ, તેવી શંકા થાય તે સ્વાભાવિક છે. સંભવ છે કે શિલાલેખ ઉપરથી પરંપરાએ ઉતારા થતાં મૂળ પ્રશસ્તિનેા કેટલેક ભાગ લેતેના દેજે ભુલાઈ જવાથી લુપ્ત થયા હોય. બાકી જે પેથીમાં વસ્તુપાલની પ્રશસ્તિઓના જ સંગ્રહ આવતી આ પ્રશસ્તિ વસ્તુપાલની જ હોવી જોઈએ એમ માની શકાય. ઉપરાંત, વસ્તુપાલે ટી મૂર્તિ ના પુનરુદ્વારા તેમ જ શિવનાં પૂઘ્ન-દન કર્યાના ઉલ્લેખા તે તેના સમયની જ કૃતિએમાં રજા ૧; તેથી પ્રસ્તુત પ્રશસ્તિ વસ્તુપાલની ન હેાય તેમ માનવાને કોઈ કારણ નથી. આ પ્રતિપાદન જો સાચું હેય તે વસ્તુપાલની પત્ની સાખુના નામને સુસંસ્કૃત કરી કદાચ શીલા તરીકે અહીં નિર્દિષ્ટ કર્યું' હોય તેવુ અનુમાન થઈ શકે. આ પ્રશસ્તિઓના કર્તાએ પૈકી આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ, આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિ, ગુર્જરેશ્વરપુરાહિત શ્રી સામેશ્વરદેવ, કવિસાર્વભૌમ હરિહર પ ંડિત, મંત્રી યશેાવીર અને ઠક્કર અરિસિંહના સંબંધમાં સા. ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy